મોરબી,
આ વખતે રાજ્યમાં ખુબજ ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે જગતના તાત મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં પાણીની ખુબ જ તંગીને કારણે ખેડૂતોના પાકને ખુબ જ નુકશાન પહોંચી રહ્યું છે. તો પશુઓ માટે ઘાસચારાની પણ ખુબ જ અછત સર્જાઈ છે.
મોરબી જિલ્લામાં વરસાદ નહિ થતા ખેડૂતોના વાવેલા પાક નિષ્ફળ છે. પશુઓને ઘાસચારાની તંગી પડી છે ત્યારે મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી ખેડૂઓએ કરી છે.
ખેડૂતો પોતાની માંગ માટે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે જિલ્લાભરના ખેડૂતો એકત્ર થયા હતાં અને જિલ્લા કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે ગયા હતાં.
સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ટંકારા ધારાસભ્ય લલિત કગથરા, જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ ગામી, તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા, કે.ડી.પડસુંબિયા સહિત અગ્રણીઓ જોડાયા છે.