Not Set/ કર્મચારી મહામંડળ પડતર પશ્ર્નો બાબતે આંદોલન, 8 લાખ કર્મચારીઓને નથી મળ્યો લાભ

ગુજરાત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પડતર પશ્ર્નો બાબતે કર્મચારીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલ કહ્યું હતું કે, ગુજરાત સરકારમાં કે ફિક્સ પગારના કર્મચારી ઓ છે તેમને હાઇકોર્ટ કર્મચારીઓના તરફેણમાં ચુકાદો આપ્યો છે. તે હોવા છતાં ગુજરાત સરકાર અપીલમાં જઈ છે અને દિવસ લંબાવે છે. કર્મચારીઓના મુદાઓમાં  નિમણૂક તારીખથી ફૂલ […]

Gujarat Trending

ગુજરાત

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પડતર પશ્ર્નો બાબતે કર્મચારીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલ કહ્યું હતું કે, ગુજરાત સરકારમાં કે ફિક્સ પગારના કર્મચારી ઓ છે તેમને હાઇકોર્ટ કર્મચારીઓના તરફેણમાં ચુકાદો આપ્યો છે. તે હોવા છતાં ગુજરાત સરકાર અપીલમાં જઈ છે અને દિવસ લંબાવે છે.

કર્મચારીઓના મુદાઓમાં  નિમણૂક તારીખથી ફૂલ પગાર સરકાર આપે.. સાથે જ છઠા પગાર પંચ ના ભથ્થા પુરા કરે. સાતમું પગાર પંચના એચ એ એલ.સીએના બે ટકા ડીએ તે પણ આપ્યું નથી. શિક્ષણ ભથ્થા પણ આપ્યું નથી અને સરકાર ગોળ ગોળ ફેરવે છે. તે માટે સરકાર સામે આર  પારની લડાઈ કરવા અમે જઈ રહ્યા છે.

8 લાખ કર્મચારીઓને લાભ મળ્યો નથી. એક બાજુ ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં કોઈ બેરોજગાર નથી પણ રોજગાર આપીને તેમના પગાર ફૂલ આપવામાં આવતા નથી અને જો સરકાર જવાબ નહિ આપે તો જિલ્લા વાઇજ કલેકટર આવેદનપત્ર આપવામા આવશે અને પછી મહારેલીનું આયોજન કરવામાં આવશે.