ગોંડલની ગોંડલી નદીમાં ગાંડીવેલનુ સામ્રાજ્યથી શહેરીજનો પરેશાન થઇ ગયા છે. શહેરના શહેરીજનોને ગોંડલની ગોડલી નદીના કિનારા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. નદીમાં સ્થપાયેલ ગાંડીવેલનું સામ્રાજ્ય અને અસહ્ય ગંદકીને લઈને પૂલ પરથી લોકોને તીવ્ર દુર્ગંધનો સામનો કરવાની ફર્જ પડી રહી છે.
તો બીજી તરફ નદીમાં ફેલાયેલા ગાંડીવેલના સામ્રાજ્યની સાથે વધતા જતાં મચ્છરોનો ઉપદ્રવને લઈને આજુબાજુ રહીશોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે.
એક સમયે એટલે ગોંડલ પ્રજાવત્સલ રાજવી મહારાજા સર ભગવતસિંહજીના સાશનકાળમાં લોકો ગોંડલની ગોંડલી નદીના કિનારે બેસી આનંદ માણતાં હતાં. આજે દેશભરમાં સ્વચ્છ ભારતના નારાઓ લગાવવામાં આવી રહ્યાં છે. તેમ છતાં શહેરના શહેરીજનોને ગોંડલની ગોડલી નદીના કિનારા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.
નદીમાં સ્થપાયેલ ગાંડીવેલનું સામ્રાજ્ય અને અસહ્ય ગંદકીને લઈને પૂલ પરથી લોકોને તીવ્ર દુર્ગંધનો સામનો કરવાની ફર્જ પડી રહી છે. તો બીજી તરફ નદીમાં ફેલાયેલા ગાંડીવેલના સામ્રાજ્યની સાથે વધતા જતાં મચ્છરોનો ઉપદ્રવને લઈને આજુબાજુ રહીશોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે. જેમને લઈને લોકો નગરપાલિકા સતાધીશો સામે રોષ વ્યક્ત કરતાં ગોંડલીયા નદીનું સફાઈ અભિયાન કાર્ય હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.
ગોંડલ નગરપાલિકા સતાધીશો ગોંડલી નદીમાં વારંવાર ગાંડીવેલના નામે સફાઈ અભિયાન હાથ ધરી તાયફાઓ કરીને સતાધીશો તસ્વીરો ખેંચાવતા હોવાનો શહેરીજનો શૂર વ્યક્ત કરી રહ્યાં છે. શહેરીજનોના મતે ગોંડલી નદીની ગાંડીવેલ અને ગંદકી હટાવવી તે કોઈ મોટી વાત નથી. પરંતુ ગાંડીવેલ જાણે પાલિકા સતાધીશો માટે દુજણી ગાય બની ગઈ હોય તેવાં આક્ષેપો વચ્ચે લોકો રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરી રહ્યાં છે.
ભલે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાથમાં જાડું લઈને સ્વચ્છ ભારતના નારાઓ લગાવતા હોય,પરંતુ જ્યાં વાડ જ ચીભડાં ગળી જતી હોય ત્યાં સ્વચ્છ ભારતનું સ્વપ્ન આમાં ક્યાંથી સાકાર થાય એ જ જોવાનું રહ્યું…?