રાજ્યમાં એક પછી એક બળાત્કારની ઘટના સામે આવી રહી છે. રાજકોટ, વડોદરા, સુરત બાદ અમદાવાદથી વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં છે કે ઘરકામ કરતી મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી બીજેપીના યુવા મોરચા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે બાપુનગર પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી છે.
જણાવી દઈએ કે 10 વર્ષ પહેલા પીડિત મહિલાએ એક પ્રજ્ઞાચક્ષુ સાથે લગ્ન થયા હતા. ઘરની પરિવારની સ્થિતિ સારી ન હોવાથી પીડિત મહિલા ઘરોમાં ઘરકામ કરતી હતી. છેલ્લા બે વર્ષથી તેણી બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અંકુર ઉર્ફે જોજી યોગેશભાઈ શર્માના ઘરે પણ ઘરકામ કરતી હતી.
બાપુનગરમાં રહેતી 42 વર્ષીય મહિલાને ગત ઓક્ટોબર મહિનામાં જોજી ઉર્ફે અંકુરના ઘરે કામ ઘરકામ કરવા ગઇ હતી ત્યારે અંકુરના માતાપિતા ઘરની બહાર ગયા હોવાથી અંકુરે એકલતાનો લાભ લઇને આ મહિલાને રૂમમાં ભોંયતળિયે પાડી દઇ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ મામલે મહિલા ડરી ગઈ હતી અને આ વાત કોઈને કહી નહતી. જો કે, ઘટના બાદ મહિલા ઘરમાં ઉદાસ રહેતા તેના સાસુને શંકા જતા તેને મહિલાને પૂછપરછ કરતા પુત્રવધૂએ સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદમાં પરિવારે બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન