Not Set/ પતિએ ક્રુરતાની હદ વટાવી,પત્ની અને સંતાનને કેનાલમાં ફેંક્યા,પત્નીનું મોત

બોડેલી તાલુકાનાં ભોરદા ગામેથી વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામે ક્રુર બનેલા પતિએ પત્ની સાથે દોઢ વર્ષના પુત્રને ધસમસતા વહેણમાં ધક્કો મારી દઇને હત્યા કરી હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર પત્નીને પિયર લઈ જવાનું કહીને બાઈક પર દોઢ વર્ષનાં પુત્રને લઈને પતિ બોડેલી નજીક ઝાંખરપુરા કેનાલ બ્રિજ પર ઉભો રહ્યો અને […]

Gujarat Others
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAaaamahi 3 પતિએ ક્રુરતાની હદ વટાવી,પત્ની અને સંતાનને કેનાલમાં ફેંક્યા,પત્નીનું મોત

બોડેલી તાલુકાનાં ભોરદા ગામેથી વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામે ક્રુર બનેલા પતિએ પત્ની સાથે દોઢ વર્ષના પુત્રને ધસમસતા વહેણમાં ધક્કો મારી દઇને હત્યા કરી હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર પત્નીને પિયર લઈ જવાનું કહીને બાઈક પર દોઢ વર્ષનાં પુત્રને લઈને પતિ બોડેલી નજીક ઝાંખરપુરા કેનાલ બ્રિજ પર ઉભો રહ્યો અને પત્ની અને પુત્રને પાણીનાં ધસમસતા વહેણમાં ધક્કો મારી દીધો હતો,જે બાદ પત્નીનો મૃતદેહ વાઘોડિયા તાલુકાનાં સરણેજ ગામેથી મળી આવ્યો હતો., જયારે બાળકની હજી શોધખોળ કરવામાં આવી રહી છે. બોડેલી પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદને આધારે પતિની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. .

મળતી માહિ અનુસાર બોડેલી તાલુકાનાં ગુલાબ દામનસિંહ પરમારનાં લગ્ન વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામની જયા નામની યુવતી સાથે થયા હતા. તેઓને બે સંતાનોમાં સિદ્ધાર્થ અને દક્ષરાજના બે પુત્રો પણ હતા.

તા.16મીએ સવારે ગુલાબ બાઈક લઈને ભોરદાથી રાજપુરા જવાનું કહીને નીકળ્યો હતો.પત્ની જયા અને દોઢ વર્ષ નાં પુત્ર દક્ષરાજને લઈને સાથે લઈને નીકળ્યો હતો. બોડેલી નજીક અલ્હાદપુરાનાં બ્રિજ પર થઈને ઝાંખરપુરા પાસે બાઈક ઉભું રાખીને પત્ની જયા અને પુત્ર દક્ષરાજને ધક્કો મારીને પાણીનાં ધસમસતા ઊંડા વહેણમાં નાખી દીધા હતા અને ત્યાર બાદ ગુલાબ તેના ઘરે જતો રહ્યો હતો.

જે બાદ મોદી સને સાંજે ગુલાબનાં પિતાએ જયાનાં પિતા દોલત સિંહને ફોન કરીને પૂછ્યું હતું કે ગુલાબ, જયા અને દક્ષરાજને લઇને બાઇક પર નીકળ્યા છે. ત્યાં આવ્યા છે કે કેમ? તો જયાનાં પિતાએ સામે જવાબ આપતા ના પડી હતી. તેઓને ચિંતાના વાદળો ઘેરી વળ્યાં હતા.

જેથી બીજા દિવસે તા.17 નાં રોજ રાજપુરાથી જયાનાં પિતા, કાકા અને ભાઈ તમામ ભોરદા આવ્યા હતા. જયા અને પુત્ર વિશે પૂછ્યું, તો ગુલાબ સ્પષ્ટ જવાબ આપતો નહતો. ત્યારે પોલીસ પાસે લઈ જવાનું કહીને ગાડીમાં બેસાડ્યો હતો. ગુલાબે પત્ની અને પૂત્રને જે જગ્યાએથી ધક્કો માર્યો હતો, ત્યાં ગાડી ઉભી રખાવીને ગુલાબે કબૂલાત કરીને કહ્યું, કે બોલાચાલી થતા પત્ની જયા અને દોઢ વર્ષનાં પુત્રને કેનાલમાં ધક્કો મારીને પાડી દીધા હતા.

જેના પગલે તાત્કાલીક કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. આખરે વાઘોડિયા તાલુકાનાં સરણેજ ગામ પાસે કેનાલમાંથી જયાનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે બાળકીની હજી પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.