Not Set/ કેશોદ/ ઓન ડ્યુટી મિસફાયર થતાં ગોળી વાગતા જવાનનું મોત

કેશોદ:CRPFના જવાનનું ઓનડ્યુટી મોત ડેરવાણ ગામના યુવાનનું નીપજ્યુ મોત પાર્થિવ દેહ આજે ડેરવાણ ગામે લવાશે કેશોદના ડેરવાણ ગામનો CRPF જવાનનું મોત થતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. જણાવીએ કે આ જવાનનું મોત મુંબઈમાં ઓન ડ્યુટી વખતે થયું છે. આ જવાન જ્યારે ઓન ડ્યુટી હતા ત્યારે આકસ્મિક રાઇફલમાંથી ગોળી વાગી જતાં જવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું […]

Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 3 કેશોદ/ ઓન ડ્યુટી મિસફાયર થતાં ગોળી વાગતા જવાનનું મોત

કેશોદ:CRPFના જવાનનું ઓનડ્યુટી મોત

ડેરવાણ ગામના યુવાનનું નીપજ્યુ મોત

પાર્થિવ દેહ આજે ડેરવાણ ગામે લવાશે

કેશોદના ડેરવાણ ગામનો CRPF જવાનનું મોત થતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. જણાવીએ કે આ જવાનનું મોત મુંબઈમાં ઓન ડ્યુટી વખતે થયું છે. આ જવાન જ્યારે ઓન ડ્યુટી હતા ત્યારે આકસ્મિક રાઇફલમાંથી ગોળી વાગી જતાં જવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું  છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી જવાન બકોત્રા દેવદાનભાઈ સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા. આપને જણાવી દઈએ કે જવાનમાં બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેમને એક દોઢ વર્ષનો પુત્ર પણ છે.

મહત્વનું છે કે મૃતક જવાનના પાર્થિવ દેહને તેમના વતન ડેરવાણ ખાતે લાવવામાં આવશે. આ જવાનના મોતને પગલે પરિવારજનો સાથે સાથે ગામમાં પણ માતમનો માહોલ છવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન