કચ્છ,
કોંગ્રેસ ભવન ભૂજને નામે આવેલા, એક પત્ર અનુસાર, કોંગ્રેસ આગેવાન આદમ ચાકીને, માંડવીનાં એક શકીલ નામના શખ્શે, તેઓની હત્યાનું ષડયંત્ર ઘડાતું હોવાની ચેતવણી ઉચ્ચારતો પત્ર લખ્યો છે.
આ પત્ર લખનાર વ્યક્તિ, પોતાને આદમચાકીનો હિતેચ્છુ ગણાવે છે. ભાજપના એક પૂર્વ હોદ્દેદાર દ્વારા, ગેંગ બનાવી આ કૃત્યને અંજામ આપવાની વાત જણાવીને આદમ ચાકીને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. પત્રને ગંભીરતાથી લઈ આદમભાઈએ એસપીને તે અંગે જાણ કરી છે.