2019ની છેલ્લી રાત તો બધા નવા વર્ષને વિદાય કરી નવા વર્ષને આવકરવા મશગુલ હોય ત્યારે પણ હજુ યમરાજ આ મજા બગાડી છે. મોરબીના વાકાનેરના લુણસરિયા નજીક કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બે વ્યકિતના મોત નીપજ્યા છે.
તેમજ ત્રણની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અકસ્માત સર્જાતા લોકોના એકઠા થઇ ગયા અને લોકો દ્વારા અકસ્માતની પોલીસને જાણ કરાઈ હતી.પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ વાકાનેરના લુણસરિયા નજીકથી જીજે 1 કેસી 7525 નંબર ની કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર કાર ચાલક કાબુ ગુમાવતા લગભગ 5 વખત જેટલી પલટી મારી ગઈ હતી કારમાં 5 લોકો સવાર હતા જેમાંથી 2 લોકોના મોત થયા હતા અને 3 લોકો ને ગભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.