Murder/ દયા ડાકણને ખાય: પાડોશીને આપ્યા લાખો રૂપિયા, પરત માંગતા મળ્યું મોત

શહેરના શાહપુર નાગોરીવાડમાં રહેતા નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણિયાને તેમના પડોશમાં રહેતા મનુભાઈ કાપડિયા વચ્ચે સારા સંબંધો હોવાથી એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી.

Ahmedabad Gujarat
a 72 દયા ડાકણને ખાય: પાડોશીને આપ્યા લાખો રૂપિયા, પરત માંગતા મળ્યું મોત

આ કલિયુગમાં કોઈ કોઈનું નથી અને પ્રમાણિક માણસ જ વધુ દુઃખી થતો હોય છે કોઈ દુઃખી માણસ ને જોઈ તેને મદદ કરવાની ભાવના ક્યારેક ખોટો માણસ ભટકાઈ જતા જિંદગી બરબાદ થઈ જતી હોય છે. ત્યારે આવોજ કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરના શાહપુરમાં એક વૃદ્ધની પાડોશી દ્વારા હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. વૃદ્ધે પાડોશીને આપેલા પૈસા પરત માંગતા ઉશ્કેરાઇ ગયો હતો. અને મારમારી કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પાડોશીની મદદ માટે વૃદ્ધે પત્નીના દાગીના પણ ગિરવે મૂક્યા હતા. હાલ આ મામલે પોલીસે પાંચ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસરા, શહેરના શાહપુર નાગોરીવાડમાં રહેતા નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણિયાને તેમના પડોશમાં રહેતા મનુભાઈ કાપડિયા વચ્ચે સારા સંબંધો હોવાથી એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. દરમિયાન મનુભાઈને આર્થિક તકલીફ ઉભી થતા અશ્વિનભાઈ પાસે 25 લાખની મદદ માગી હતી, જેથી અશ્વિનભાઈએ પોતાની પાસે 25 લાખ ન હોવાથી તેઓ એ રૂ.13.50 લાખની રકમ ઉધાર આપી મનુભાઈને મદદ કરી હતી. જોકે મનુભાઈએ ફરી રકમ માગતાં અશ્વિનભાઈએ પત્નીના દાગીના ગીરવી મૂકી ફરી મદદ કરી હતી. મનુભાઈએ આ રકમ પોતે બેંકની નોકરીમાંથી નિવૃત્ત થશે ત્યારે ચૂકવી દેશે એવી ખાતરી આપી હતી.

મનુભાઈએ ફરી રકમ માંગતા અશ્વિનભાઈએ પત્નીના દાગીના ગીરવે મૂકી ફરી મદદ કરી હતી. મનુભાઈએ આ રકમ પોતે બેંકની નોકરીમાંથી નિવૃત્ત થશે, ત્યારે ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. મનુભાઈ એપ્રિલ-2020માં નિવૃત્ત થવાના હોવાથી અશ્વિનભાઈએ માર્ચ-2020માં મનુભાઈને પૈસા પરત ચૂકવવાની જાણ કરી હતી. આ દરમિયાન અશ્વિનભાઈનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે શાહપુર પોલીસે મૃતક અશ્વિનભાઈના પુત્ર દુષ્યંતની ફરિયાદને આધારે આરોપી મનુભાઈ કાપડિયા, તેની પત્ની ઉષાબહેન, પુત્રીઓ સોનલ, પારુલ અને પુત્ર પરાગ વિરુદ્ધ હત્યા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Shahpur Murder દયા ડાકણને ખાય: પાડોશીને આપ્યા લાખો રૂપિયા, પરત માંગતા મળ્યું મોત

 મનુભાઈને નિવૃત્ત થયે 9 મહિના વીતી ગયા છતાં પણ તેઓએ પૈસા પરત કર્યા ન હતા. મંગળવારે સવારે 7.30 વાગ્યે પોતાના ઘર પાસેથી પસાર થતા મનુભાઈ અને તેમના પત્ની ઉષાબેનને અશ્વિનભાઈએ ઉભા રાખી પૈસા ચૂકવવાના વાયદાની તારીખ હોય રકમ પરત માંગી હતી. મનુભાઈએ સાંજે અશ્વિનભાઈએ ઘરે બોલાવ્યા હતા. સાંજે 5.30 વાગ્યે અશ્વિનભાઈ, પત્ની અને પુત્રી ધર્મિષ્ઠા સાથે મનુભાઈના ઘરે ગયા હતા.

આ દરમિયાન મનુભાઈ તેમની પત્ની ઉષાબેન, પુત્રીઓ પારુલ, સોનલ અને પુત્ર પરાગ પાંચે જણાએ અશ્વિનભાઈ સાથે ઝઘડો કરી તેઓને તથા તેમની પત્ની અને પુત્રીને ધક્કા મારી ઘરની બહાર કાઢ્યા હતા. મનુભાઈ અને પરાગ બન્ને જણા અશ્વિનભાઈને ગડદાપાટુનો માર મારતા હતા તેઓ સ્થળ પર ફસડાઇ પડ્યા હતા. ઈજાના કારણે અશ્વિનભાઈને છાતીની ડાબી બાજુથી લોહી નીકળવા લાગ્યું હતું. આ બનાવને પગલે ઘરે હાજર અશ્વિનભાઈના બન્ને પુત્રો સ્થળ પર પહોંચ્યા અને તેઓને સારવાર માટે ઇમર્જન્સી એમ્બ્યુલન્સમાં ખસેડયા હતા.

જ્યાં સારવાર દરમિયાન અશ્વિનભાઈનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે શાહપુર પોલીસે મૃતક અશ્વિનભાઈના પુત્ર દુષ્યંતની ફરિયાદના આધારે આરોપી મનુભાઈ કાપડિયા, તેની પત્ની ઉષાબહેન, પુત્રીઓ સોનલ, પારુલ અને પુત્ર પરાગ વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો