મંતવ્ય ન્યૂઝ,
નર્મદા જીલ્લાના હેલંબી ગામ નજીક બે મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ભયાવહ હોવાથી દુર્ઘટના સ્થળે જ 3 યુવાનોના મોત થયા હોવાની માહિતી મળી છે. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ભાજપની યુવા મોરચાની રેલીમાં હાજરી આપ્યા બાદ પ્રતાપપુરા ગામના યુવાનો પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.