Not Set/ નવસારી: પ્રેમીએ પ્રેમીકાની પાંચ હજાર માટે કરી હત્યા

લગ્ન થયા બાદના પ્રેમસંબંધો સમાજથી છુપા રાખવા માટે સંતાકુકડીનો ખેલ કરાવતા હોય છે. પરંતુ આવા કિસ્સાઓ છુપા રહી શકતા નથી અને સંબંધોનો અંત કરુણ આવતો હોય છે મૂળ મધ્યપ્રદેશની અને નવસારીમાં સ્થાયી થયેલ મહિલાને પ્રેમસંબંધમાં પ્રેમીએ મોતનો ભેટો કરાવ્યો છે. પ્રેમીએ ફક્ત પાંચ હજાર માટે પ્રેમીકાની હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. મળતી મહિતી […]

Top Stories Gujarat Trending
murder નવસારી: પ્રેમીએ પ્રેમીકાની પાંચ હજાર માટે કરી હત્યા

લગ્ન થયા બાદના પ્રેમસંબંધો સમાજથી છુપા રાખવા માટે સંતાકુકડીનો ખેલ કરાવતા હોય છે. પરંતુ આવા કિસ્સાઓ છુપા રહી શકતા નથી અને સંબંધોનો અંત કરુણ આવતો હોય છે મૂળ મધ્યપ્રદેશની અને નવસારીમાં સ્થાયી થયેલ મહિલાને પ્રેમસંબંધમાં પ્રેમીએ મોતનો ભેટો કરાવ્યો છે. પ્રેમીએ ફક્ત પાંચ હજાર માટે પ્રેમીકાની હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો.

મળતી મહિતી મુજબ આ બંને પ્રમીપંખીડા મુળ મધ્યપ્રદેશના હતા.પરણિત મહિલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના વતની જે નવસારી ખાતે મજૂરીકામે આવીને દસેરાટેકરી વિસ્તારમાં સ્થાયી થયા હતા…અને ૪ વર્ષથી મધ્યપ્રદેશના વિજય અવાસિયા સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો જે પ્રેમસંબંધ શારીરિક સુખ પણ આપતો જેને લઈને અવાર-નવાર ફરવા જતા હતા તારીખ-૨૭-૦૬-૧૮ ના રોજ પણ ફરવા નીકળયા હતા જલાલપોર ગામની ઝાડી વિસ્તારમાં એકાંતની પળો માણ્યા બાદ આરલીબેન પાસે રૂપિયા ૫૦૦૦ હજાર જોય જતા રૂપિયામાં દાનત બગડતા આર્લીબેન અને વિજયભાઈ વચ્ચે ઝગડો થયો હતો.

એ ઝગડામાં આરલીબેનની સાડી વડે વિજયે ગળું દબાવી ફરાર થયો હતો જે ઘટનાની જાણકારી બીજા દિવસે પોલીસને થતા પીએમ રીપોર્ટમાં હત્યા હોવાનું બહાર પડતા તેમજ આરલીબેનના પતિને પણ શંકા જતા આરોપી વિજયને નવસારી એલસીબી પોલીસે મધ્યપ્રદેશથી ઝડપ્યો હતો.