રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 996 નવા કોરોના કેસ નોધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,15,386 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 15 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં 9,921 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 3,004 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,85,378 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 20,087 છે.
ચૂંટણી પ્રચાર કે એકતાનું પ્રતિક ? / સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કોરિયન મટીરીયલથી 59.54 લાખનું ડિજિટલ કમલ ખીલશે
રાજકીય / રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને PM મોદીની પ્રશંસા કરતા કહ્યું, ‘ભારતના વડા પ્રધાન એક જવાબદાર નેતા છે’ સાથે ….
રાજ્યમાં હાલ 382 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 20,087 પર પહોંચ્યો છે. રાજ્યમાં રસીકરણ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 1,81,78,319 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,63,507 લોકોને રસી આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 142 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 81 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 46 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 79 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 49 કેસ અને ગ્રામ્યમાં 28 કેસ નોંધાયા છે.