મહેસાણાના વિજાપુરમાં દંપતિના આપઘાતથી ચકચાર મચી ગઈ છે. શુકવરે સાંજે દંપતીએ ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર પોલીસનું કહેવું છે કે,વૃદ્ધ દંપતિનો પુત્ર પરણિત મહિલાને ભગાડી ગયો હતો જેનું લગાઈ આવતા આ દંપતીએ આપઘાત કર્યો હતો.
આ મામલે નવો વળાંક સામે આવ્યો છે દંપતિના ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી.જેમાં રૂપિયા કર્યો છે.સુસાઇડ નોટમાં બે શખ્સના નામ લખ્યા હતા જે બહાર આવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વિજાપુર પોલીસ સ્ટેશનથી પોસ્ટ ઓફિસ તરફ જવાના માર્ગે આવેલા મહોલ્લામાં રહેતા ધનજીભાઇ પટેલ (75) અને હંસાબેન ધનજીભાઇ પટેલ (70)છેલ્લા એક મહિનાથી ઘરમાં એકલા રહેતા હતા. શુક્રવારે સાંજે 6 વાગ્યે પડોશીઓએ ઘરમાં અવર-જવર ન જણાતાં તેમના ઘરનો અર્ધ ખુલ્લો દરવાજો ખોલતાંની સાથે જ ચોંકી ગયા હતા.જે બાદ સગાસબંધી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.