ગુજરાતના સમાચાર જગતની હસ્તી અને મહામંથન સ્ટાર ઈશુદાન ગઢવી પત્રકાર જગતને ગુડ બાય કહ્યાના સમાચાર આવી રહ્યા છે. વીટીવી ના એડિટર તેમને રાજીનામું આપ્યું છે. તેમના રાજુનામું મુક્ત જ મીડિયા જગતમાં તેમને લઇ વિવિધ પ્રકારની અટકળોનું બજાર ગરમ થયું છે.
ખેડૂતોના મુદ્દે ડીબેટ કરીને ચર્ચામાં આવેલા ઈશુદાન રાજ્કારણમાં જોડાય તેવી વિગતો સાંપડી રહીછે. ઈશુદાને હજુ સુધી આ મુદ્દે પોતાના પત્તાખોલ્યા નથી . પરંતુ તેમને રાજકારણમાં લઇ જવામાં મોટા માથાનો હાથ હોવાનું ચર્ચામાં છે. તેમાં રાજકારણમાં પ્રવેશને લઇ ગુજરાતના રાજકારણમાં ત્રીજા ફ્રન્ટની એન્ટ્રી થઇ શકે છે. નજીકના સુત્રોના જણાવ્યા અનુંસાર તેમની રાજકીય કારકિર્દી આપ સાથે કરી શકે છે .
આવો જોઈએ સમગ્ર અહેવાલ