પ્રધાનમંત્રી મોદી મતના જાદુગર કહેવાય છે અને મોદી મેજીક શબ્દ પણ આને કારણેજ પ્રચલિત બન્યો છે.જો કે આ વખતે ગુજરાત ઇલેકશનમાં ભાજપે વાસ્તવિક રીતે જાદુગરોનો સહારો લીધો છે. ભાજપ આ વખતે પાર્ટીના પ્રચારમાં 36 જાદુગરોને મેદાનમાં ઉતારશે. આ જાદુગરો જાદુના કરતબ દેખાડી ભાજપ માટે વોટ માંગશે.
મોદી મેજીક તો ભાજપને ખુબ ફળ્યો છે. પરંતુ વાસ્તવિકતામાં જાદુગરોની આ મદદ ભાજપને કેટલી સફળતા અપાવે છે તે જોવું મહત્વનું બની રહેશે .