Not Set/
ગીર સોમનાથના CRPF જવાનનું જમ્મુથી રાયપુર જતાં ટ્રેનમાંથી થયું અપહરણ
ગીર-સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના વતની અને CRPF (સીઆરપીએફ) માં ફરજ બજાવતા જવાનનું જમ્મુથી રાયપુર જતાં સમયે કેફી પીણું પીવરાવીને તેનું અપહરણ કરી લેવાની ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરમાં સેના અને અર્ધ સેના દળના જવાનોના અપહરણ કરવાની ઘટના તાજેતરમાં બની રહી છે. આ સંજોગોમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના દેવળી ગામનો યુવાન અને સીઆરપીએફમાં ફરજ […]
ગીર સોમનાથ જિલ્લાના વતની અને CRPF (સીઆરપીએફ) માં ફરજ બજાવતા જવાનનું જમ્મુથી રાયપુર જતાં સમયે કેફી પીણું પીવરાવીને તેનું અપહરણ કરી લેવાની ઘટના સામે આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં સેના અને અર્ધ સેના દળના જવાનોના અપહરણ કરવાની ઘટના તાજેતરમાં બની રહી છે. આ સંજોગોમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના દેવળી ગામનો યુવાન અને સીઆરપીએફમાં ફરજ બજાવતા એવા નરેશ ચુડાસમા નામના એક જવાનનું જમ્મુથી રાયપુર જતી વખતે અપહરણ થયું છે. ટ્રેનમાં જતી વખતે કોઈએ કેફી દ્રવ્ય પીવડાવીને જવાનનું અપહરણ કરી લેવાનું ઘટના બની છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ગામનો રહીશ એવો નરેશ ચુડાસમા નામનો યુવાન છત્તીસગઢના રાયપુર ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો.
mantavyanews.com
નરેશ ચુડાસમાની તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી છત્તીસગના રાયપુર ખાતે બદલી થઈ હતી. જેના અંતર્ગત નરેશ ચુડાસમા ટ્રેન દ્વારા જમ્મુથી રાયપુર જઈ રહ્યો હતો. આ સમયે જમ્મુથી રાયપુર જતાં રસ્તામાં જ સીઆરપીએફના આ જવાનનું કોઈ શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ નરેશને કોઈએ કેફી પીણું (માદક પ્રવાહી) પીવડાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી સેના, અર્ધ સેના દળ અને પોલીસના જવાનોના આતંકીઓ દ્વારા અપહરણની ઘટનાઓ વધી રહી છે. આ સંજોગોમાં ગુજરાતના યુવાન એવા સીઆરપીએફના જવાન નરેશ ચુડાસમાનું ટ્રેનમાંથી અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.