સુરત,
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનાએ સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાવી દીધી છે.ત્યારે ધોરણ 12મા અભ્યાસ કરતી કૃતિનું પણ કરુણ મોત નિપજ્યું છે. સુરત ના મોટા વરાછા ખાતે આવેલી ક્રિષ્ના પાર્ક ખાતે રેહતી કૃતિએ પણ આખરે જીંદગી સામે હાર માની લીધી. કૃતિની અંતિમયાત્રા નીકળવાની છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.પરિવારમાં અને સ્થાનિકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.
સૌથી મહત્વની વાત એછેકે.કૃતિનું આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થવાનું છે પરંતુ કૃતિ હવે આ ફાની દુનિયાને અલવિદા કહી ચુકી છે.