સુરતના સચીન વિસ્તારમાં વાહનોમાં આગચંપી કરનાર ઇસમોની પોલીસે ધરપકડ કરી છે, ચાર જેટલા ઇસમોનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલાના સળિયા પાછળ ઘકેલી કાઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે સચિન વિસ્તારમાં આવેલી રાજ અભિષેક બિલ્ડીંગમાં સોમવારે રાત્રિના સમયે અજાણ્યા ઇસમો ત્રાટ્કયા હતા.અને સાત જેટલા બાઇકો અને ત્રણ જેટલી ફોર વ્હીલ કારને પ્રેટ્રોલ છાંટીને સળગાવી નાખી હતી.
જેને લઇને ત્યાનાં સ્થાનિકો રોષે ભરાયા હતા અને પોલીસમાં ફરિયાદ કરી હતી..બાદમાં પોલીસ તપાસ તેજ કરી હતી અને તપાસ દરમિયાન પોલીસે આ ચારેય ઇસમોને પક્ડી પાડ્યા હતા અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત સચીન વિસ્તારમા આવેલી રાજ અભિષેક બિલ્ડીંગમા સોમવારે રાત્રિના સમયે પાર્ક કરાયેલી સાત બાઇકો તથા ત્રણ ફોર વ્હીલ કારને અજાણ્યા ઇસમો દ્વારા સળગાવાય હતી જે બનાવમાં સચીન પોલીસે ફરિયાદ નોધી તપાસ આરંભી હતી.
તપાસ દરમિયાન સચીન પોલીસે લીંબાયત નીલગીરી સર્કલ પાસેથી બાઇક સળગાવનાર શાહરુખ ઉર્ફે ઉમર, મોહસીનખાન, શાહરુખ સલીમ શાહ તથા ગુલામનબી શેખ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. બાઇક સળગાવવા પાછળ જ્યારે પોલીસે કારણ જાણ્યુ ત્યારે પોલીસ પણ દંગ રહી ગઇ હતી.
રુપિયાની લેતીદેતી મામલે ઉશ્કેરાયેલા ચારેય એક જ બાઇક પર પેટ્રોલ છાટવાનો પ્લાન હતો, જો કે તેઓ દ્વારા બાઇકો પર વધુ પેટ્રોલ છટકાય ગયુ હતુ અને તેને લઇને આસપાસના વાહનો સળગવા લાગ્યા હતા. હાલ પોલીસે ચારેયને જેલના સળિયા પાછળ ઢકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.