તાપી,
વ્યારાના લખાલી ગામે ખેડૂતો ભાજપ સામે રણે ચઢ્યા છે.ખેડૂતો દ્વારા ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનો વિરોધ કરવામા આવી રહ્યો છે. વ્યારાના લખાલી ગામે જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે. જેને લઈનને ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.જ્યાં નારાજ ખેડૂતોને મનાવવા ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે.પ્રભુ વસાવાએ બાહેધરી આપી છે કે જો 75 % લોકોની સમતી નહીં હોય તો જમીન સંપાદન નહીં થાય.ઉલ્લેખનિય છે કે તાપી નર્મદા રિવર લિંક યોજના અંતર્ગત સરકાર દ્વારા જમીન સંપાદન માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. જેને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે.