સુરત,
સુરતમાં થોડા દિવસ અગાઉ સુવાલી દરિયામાં નહાવા પડેલા ચાર લોકો પડ્યા હતો જેઓ ડૂબતા તેમાથી ત્રણ લોકોને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ તેમાના એક યુવકને કાળ ભરખી ગયો હતો.
તેની કલાકોની શોધખોળ કરી હતી પરંતુ તેનો મૃતદેહ મળયો નહતો. ત્યારે બીજા દિવસે બપોરના સમયે યુવકના મૃતદેહ મળી આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે આકાશ નામના આ યુવકનો મૃતદેહ માછીમારોની જાળમાં ફસાયેલી હાલતમાં મળયો હતો. ત્યારે માછીમારોએ આ મૃતદેહ કાઢી પરિવારને જાણ કરી મૃતદેહ સોંપયો હતો.