અમદાવાદ-રાજકોટ હાઇવે પર થયેલા અકસ્માતમાં બે વૃદ્ધ મહિલાઓના મોત થયા છે.રાજકોટ હાઇવે પર તરઘડિયાનાં પાટિયા પાસે ટ્રકે ટક્કર મારતા 65 વર્ષનાં રામુબેન રાઠોડ અને 60 વર્ષનાં કેશુબેન રાઠોડના મોત થયા છે જ્યારે 70 વર્ષનાં મુળીબેન રાઠોડની હાલત ગંભીર છે.
વહેલી સવારે આ ત્રણેય મહિલાઓ સુકી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે મજૂરી કામ માટે તેમનાં રોજનાં સમયે જતા હતાં અને તેઓ રસ્તા પર ઉભા હતા ત્યારે ટ્રકે ટક્કર મારી હતી.ટ્રકનો ચાલક રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન ના રહેતા વૃદ્ધ મહિલાઓ ચગદાઈ ગઈ હતી.
આ મહિલાઓ એક જ પરિવારનાં દેરાણી જેઠાણી હતાં. તેઓ કામ પર જઈ રહ્યા હતા અને રસ્તો ઓળંગવાની રાહ જોઇને બાજુમાં ઉભા હતાં ત્યારે જ ત્યાં ઉભેલ ટ્રક ચાલકે ટ્રક રિવર્સમાં લેતાં ત્રણેય મહિલાને અડફેટે લીધી હતી. જેમા તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાથી રામુબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મહિલાઓને સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. ત્યાં કેશુબેનનું પણ મોત નીપજ્યું હતું.
એક જ પરિવારનાં બે મહિલાનાં મોતને કારણે શોકની લાગણી વ્યાપી ગઇ છે. આ અંગે કુવાવડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.