Not Set/ ભાજપનાં ઉપવાસ આંદોલન : જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીજીનું અપમાન, ધરણાં કાર્યક્રમમાં ગાંધીજીની ઢંકાઇ પ્રતિમા

વડોદરા, દલિત હિંસા લઈને ૯ એપ્રિલના રોજ કોંગ્રેસે ઉપવાસ કર્યો હતો, ત્યારે કેન્દ્રની મોદી સરકાર વિપક્ષને લઈને ઉપવાસ પર ઉતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપવાસ પર બેઠયા છે. તેમને દરેક ભાજપ સાંસદોને પણ તેમના તેમના સંસદીય વિસ્તારોમાં ઉપવાસ રાખવાની અપીલ કરી છે. રાજ્યમાં ઠેરઠેર ભાજપના કાર્યકર્તાઓ ઉપવાસ ઉપર બેઠા હતા. વડોદરાના સાંસદોની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે ભાજપા કાર્યકરો ઉપવાસ ઉપર બેઠા […]

Top Stories
ુોલ્પહેો્ ભાજપનાં ઉપવાસ આંદોલન : જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીજીનું અપમાન, ધરણાં કાર્યક્રમમાં ગાંધીજીની ઢંકાઇ પ્રતિમા

વડોદરા,

દલિત હિંસા લઈને ૯ એપ્રિલના રોજ કોંગ્રેસે ઉપવાસ કર્યો હતો, ત્યારે કેન્દ્રની મોદી સરકાર વિપક્ષને લઈને ઉપવાસ પર ઉતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપવાસ પર બેઠયા છે. તેમને દરેક ભાજપ સાંસદોને પણ તેમના તેમના સંસદીય વિસ્તારોમાં ઉપવાસ રાખવાની અપીલ કરી છે. રાજ્યમાં ઠેરઠેર ભાજપના કાર્યકર્તાઓ ઉપવાસ ઉપર બેઠા હતા. વડોદરાના સાંસદોની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે ભાજપા કાર્યકરો ઉપવાસ ઉપર બેઠા હતા. પરંતુ અહિંસક આંદોલનનો માર્ગ ચિંધનાર ગાંધીજીની પ્રતિમાને જ ભાજપ દ્વારા ઢાંકી દેવામાં આવી હતી. જેના કારણે ગાંધીજીનું અપમાન થતા વિવાદ વધી રહ્યો છે.

વડોદરામાં ભાજપનાં ઉપવાસ આંદોલન દરમિયાન રાષ્ટ્રપિતા ગાંધીજી પણ ભૂલાઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ તેમની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું છે. ધરણાં કાર્યક્રમ દરમિયાન બાંધેલા મંડપમાં ગાંધીજીની પ્રતિમા ઢંકાઈ ગઈ છે. ઉપવાસ કાર્યક્રમ માટે ગાંધી નગરગૃહ ખાતે ઉપવાસ આંદોલન ભાજપનાં નેતાઓ કરી રહ્યાં છે. આ ઉપવાસ આંદોલન દરમિયાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં છે. વાઘાણીની હાજરીમાં ગાંધીજીનું અપમાન થયું.

koolr ભાજપનાં ઉપવાસ આંદોલન : જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીજીનું અપમાન, ધરણાં કાર્યક્રમમાં ગાંધીજીની ઢંકાઇ પ્રતિમા

તો બીજી બાજુ રાજકોટના ઢેબર ચોકમાં ભાજપ દ્વારા ઉપવાસ કાર્યક્રમ યોજાયો છે. ત્યારે આ આંદોલનમાં કુલર સહિત તમામ વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ ભાજપના હાઈપ્રોફાઇલ ઉપવાસ જોવા મળી રહ્યા છે. એવુ કહી શકાય કે સમગ્ર શહેરમાં પાણીની તંગી જોવા મળી રહી છે, અહી કૂલરમાં પાણી નાખવા માટે ટેન્કરો મંગાવવામાં આવી છે.

thubm 1523512947 ભાજપનાં ઉપવાસ આંદોલન : જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીજીનું અપમાન, ધરણાં કાર્યક્રમમાં ગાંધીજીની ઢંકાઇ પ્રતિમા

આ સિવાય અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા જિલ્લા પંચાયતની સામે ભાજપ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા, પરંતુ અહી ઉપવાસીઓને ફાઈવસ્ટાર સુવિધામાં મિનરલ વોટર એરકૂલર રાખવામાં આવ્યા હતા. કૂલર અને મિનરલ વોટરનો સિનેરિયો પુરા ગુજરાતમાં જોવા મળ્યો હતો.