દહેગામ,
દહેગામ તાલુકાના કડાદરા ગામે બનેલા જીવલેણ હુમલાના બનાવનો ભોગ બનનારા રણવીરસિંહ બીહોલાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.
કડાદરા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત અને ઘટનાના પગલે દહેગામ અને પોલીસનો કાફલો દહેગામ પોલીસ સ્ટેશન અને ઘટનાસ્થળે બંદોબસ્ત ગોઢવાયો છે.
દહેગામ તાલુકાના કડાદરા ગામે બનેલા જીવલેણ હુમલાના બનાવ નો ભોગ બનનારા કોંગ્રેસના ગાંધીનગર જીલ્લાના મહામંત્રી રણવીરસિંહ બીહોલાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું તે દરમ્યાન આજે તો કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્ય સિહ ડાભી પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને સંગઠનના હોદેદારો મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી.