Not Set/ રાજકોટ : છરીના ઘા ઝીંકી કુતિયાણા નજીક મુસ્લિમ યુવાનની ક્રૂર હત્યા

પોરબંદરના કુતિયાણા નજીક આવેલ બાવળાવદરમાં રાજકોટના મવડી ચોકડી નજીક રહેતાં રિક્ષાચાલક મુસ્લિમ યુવાનની છરીના ઘા ઝીકી હત્યા થતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે પોરબંદર એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતાં મહોર્રમ દરમિયાન રાજકોટનું મુિસ્લમ દંપતિ બાવળાવદર દરગાહે દર્શન કરવા આવ્યો હતો. તે દરમિયાન રાજકોટના જ દિલીપ પટેલ સહિતના ત્રણ શખસો […]

Top Stories Gujarat
JS36233645 રાજકોટ : છરીના ઘા ઝીંકી કુતિયાણા નજીક મુસ્લિમ યુવાનની ક્રૂર હત્યા

પોરબંદરના કુતિયાણા નજીક આવેલ બાવળાવદરમાં રાજકોટના મવડી ચોકડી નજીક રહેતાં રિક્ષાચાલક મુસ્લિમ યુવાનની છરીના ઘા ઝીકી હત્યા થતાં સનસનાટી મચી જવા પામી છે.

બનાવના પગલે પોરબંદર એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતાં મહોર્રમ દરમિયાન રાજકોટનું મુિસ્લમ દંપતિ બાવળાવદર દરગાહે દર્શન કરવા આવ્યો હતો.

PROD Screen Shot 2017 03 31 at 163817 e1537539069897 રાજકોટ : છરીના ઘા ઝીંકી કુતિયાણા નજીક મુસ્લિમ યુવાનની ક્રૂર હત્યા

તે દરમિયાન રાજકોટના જ દિલીપ પટેલ સહિતના ત્રણ શખસો અવાર-નવાર પત્નીની છેડતી કરતાં હોય જે અંગે ત્યાં ભેટો થઈ જતાં તેને ટપારવા જતાં છરીના ઘા ઝીકી હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે ત્રણેય શખસોને સકંજામાં લઈ વધુ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 150 ફૂટ રિંગરોડ પર આવેલા મવડી ચોકડી નજીક રહેતો જાવેદ કરીમભાઈ નામનો મુિસ્લમ રિક્ષાચાલક યુવાન આજે તેની પત્ની રેશ્મા સાથે કુતિયાણા પાસે બાવળાવદર આવેલ દર્શન કરવા ગયો હતો.

ત્યારે રાજકોટના જ દિલીપ પટેલ અને બે અજાણ્યા શખસો સાથે ઝઘડો થતાં ત્રણેય શખસોએ છરીના ઘા ઝીકી નાસી જતાં ગંભીર રીતે ઘવાયેલા જાવેદ ને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજયું હતું.