ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર નરેશ કનોડિયાનું દુખદ નિધન થયુ છે. તેઓ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાનું દુઃખદ અવસાન થયુ છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી અમદાવાદની યુએનમહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ પહેલા તેમના મોતનાં સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. જો કે તે સમયે નરેશ કનોડિયાનાં પુત્ર હિતુ કનોડિયાએ આ વાતને અફવા ગણાવી હતી અને કહ્યુ હતુ કે, તેમની તબિયત સ્થિર છે. જણાવી દઇએ કે, નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 77 વર્ષીય નરેશ કનોડિયાની તબીયત નાજૂક થતાં અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેઓએ હવે અંતિમ શ્વાસ લીધો છે.