ક્ચ્છ
ક્ચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરને કેમિકલયુક્ત કાળી શાહી લગાવવાની ઘટનાએ સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી છે. આ મામલે આજે ક્ચ્છ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ સ્ટાફ પોતાના કામથી અળગો રહ્યો હતો.
પશ્ચિમ કચ્છની તમામ કોલેજોના પ્રોફેસરો અને આચાર્ય ભેગા મળીને કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.અને આ દિવસ કચ્છના શિક્ષણ જગત માટે કાળો દિવસ રહ્યો હતો.
પૂર્વ કચ્છની કોલેજોના આચાર્ય અને પ્રોફેસરોએ ગાંધીધામ ખાતે આવેદનપત્ર આપીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.આ કૃત્યને કચ્છની કોલેજોના પ્રોફેસરોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને આવા કૃત્યોથી પ્રોફેસર ના જીવને પણ જોખમ રહેલું હોય છે તેવું તેમણે જણાવ્યું હતું. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.