ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ ઓ પી કોહલીની નિવૃત્તિ બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હિમાચલનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેટલુ જ નહી આચાર્ય દેવવ્રતને ગુજરાતનાં રાજ્યપાલ બનાવવાની સાથે હિમાચલ પ્રદેશમાં ભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેંન્દ્રિય મંત્રી કલરાજ મિશ્રાને રાજ્યપાલ બનાવાયા છે.
મળી રહેલી માહિતી અનુસાર ભાજપનાં નેતા કલરાજ મિશ્રા વર્ષ 2014થી 2019 સુધી યુપીનાં દેવરિયાથી સાંસદ રહ્યા છે. આ સિવાય તે રાજ્યસભા સાંસદ પણ રહી ચુક્યા છે. ઉપરાંત લખનઉથી ભાજપનાં ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. તેમણે 2019ની ચૂંટણી લડી નહોતી. તેની પાછળ તેમણે પાર્ટી દ્વારા અન્ય જવાબદારી દેવામાં આવી હોવાની કારણ જણાવ્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન