ગુજરાતના મહેસાણા જીલાની આ ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના જ પતિ અને સાસુ સામે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પત્ની એ કારણ જણાવ્યું કે એના પતિએ એની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડી છે અને ઘરેલું હિંસાનો મામલો પણ છે.
વાત આખી એમ બની છે કે આ મહિલા સ્વામિનારાયણ સંપ્રદાયને માને છે. એના પતિએ એને જબરદસ્તી લસણ ડુંગળી વાળું શાક ખાવા મજબુર કરી અને જયારે મહિલા એ ઇનકાર કર્યો તો એને મારવામાં આવી. મારપીટ પતી અને સાસુએ કરી હતી. પત્ની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે અને પતિની પાનની દુકાન છે.
ગાંધીનગર પોલીસને કરવામાં આવીલે ફરિયાદમાં મહિલા એ બધું વિગતવાર જણાવ્યું છે કે કઈ રીતે એની ધાર્મિક ભાવનાઓને હાની પહોચાડવામાં આવી છે અને જમવાની ના પડતા એને મારવામાં આવી. આ મહિલાએ 4 વર્ષ પહેલા એના ભાઈના એક મિત્ર સાથે લગ્ન કર્યા હતા.
મારપીટ કર્યા બાદ પતિએ એની પત્નીના મમ્મી સાથે વાત કરવાની પણ ના પાડી દીધી. પોલીસ નું કહેવું છે કે આ મામલો ઘરેલું હિંસાનો છે અને વ્યક્તિની ધાર્મિક ભાવનાઓને જબરદસ્તી હાની પહોચાડવાનો છે અને મારપીટનો છે. પોલીસે કેસ દાખલ કરી દીધો છે અને હવે આ આખી ઘટનાની પૂરી તપાસ કરવામાં આવી રહી છે.