વિવાદ/ સોખડા મંદિરના સ્વામીને હરિભક્ત દ્વારા જ મારી નાખવાની ધમકી

પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તે ધમકી આપતા તેની સામે ફરિયાદ નોધાઈ છે ત્યારે આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા જણાઈ રહી છે.

Top Stories Vadodara
ધમકી

વડોદરા સ્વામિનારાયણ મંદિરમાં વધુ એક વખત વિવાદમાં સામે આવ્યો  છે. હરિધામ સોખડાના પ્રેમસ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીને હરિભક્ત જીતેન્દ્ર પ્રજાપતિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. મંદિરના સેક્રેટરી જે.એમ.દવે દ્વારા આ માથાકૂટ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને માથાકૂટ કરનાર તેમજ ધમકી આપનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત અનુસાર વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્ત જીતેન્દ્ર પ્રજાપતિ નામના શખ્સે સિક્યોરીટી સાથે માથાકૂટ કરી હતી. સિક્યોરીટી ગાર્ડને અપશબ્દો કહેતા કહ્યું હતું કે, ‘કુત્તે કી ઓલાદ હે સબ સાલે. મેરેકો પ્રેમ ઓર ત્યાગ કી નહિ સુનના હે.’ સાથે સાથે પ્રેમસ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીને હરિભક્ત જીતેન્દ્ર પ્રજાપતિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ‘ઝાટકા માર કે કાટ ડાલેન્ગે. દો બાર જેલ ગયા હું તિસરી બાર ભી જાઉંગા. કહ્યું હોવાનું જાણવા મળેલ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને તેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. મંદિરના સેક્રેટરી જે.એમ.દવે દ્વારા આ માથાકૂટ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને માથાકૂટ કરનાર તેમજ ધમકી આપનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. મળતી વિગત અનુસાર પ્રબોધ સ્વામી જૂથના હરિભક્ત સામે ફરિયાદ નોધાઈ છે અને પોલીસે તેની ધરપકડ કરી છે ત્યારે મંદિરમાં આંતરિક વાતાવરણ તંગ બનવાની તેમજ આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા જણાઈ રહી છે.

આ પણ વાંચો : મુર્તઝા અબ્બાસી ISISમાં જોડાવા માંગતો હતો,વિચારધારાથી પ્રભાવિત હતો

આ પણ વાંચો : રખડતાં ઢોરના પ્રશ્નએ સરકારને શીંગડે ચડાવતા મોડી સાંજે કાયદો સ્થગિત

આ પણ વાંચો :  જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો

આ પણ વાંચો : ધ્રાંગધ્રાના જેગડવા ગામે દંપતિ પર હુમલો કરી મહિલા પર એસીડ ફેક્યું