રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ટ્રાફિકને લઈને મોટુ નિવેદન કર્યું છે. શહેરમાં સતત નિયમોનો ભંગ કરનારા લોકોના લાયસન્સ રદ્ કરવા તેમણે સુચન કર્યું હતું. સુરત ટ્રાફિક પોલીસને કરવામાં આવેલા આ સુચનમાં 4,000 થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો તેમણે હુકમ કર્યો હતો.જેમાં રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકોના લાયસન્સ રદ્ કરવામાં આવશે.
તે સિવાય 51 થી 100 વખત ટ્રાફિકના નિયમ તોડનારા 4,100 વાહનચાલકોના લાયસન્સ રદ્ કરવામાં આવશે. જ્યારે 101 વખતથી વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 1500 થી વધુ સલોકોના લાયસન્સ રદ્ કરવા સુચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ