Not Set/ હીથ્રો એરપોર્ટનો મોટો નિર્ણય- ભારતથી વધારાની ફ્લાઇટ્સને મંજૂરી આપવાનો ઇનકાર

બ્રિટનનાં હીથ્રો એરપોર્ટએ ભારતથી વધારાની ફ્લાઇટ્સને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે કારણ કે, શુક્રવારે દેશને બ્રિટનની “રેડ-લિસ્ટ” માં સમાવવામાં આવેલ છે, જેમાં મોટા ભાગનાં પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Top Stories World

બ્રિટનનાં હીથ્રો એરપોર્ટએ ભારતથી વધારાની ફ્લાઇટ્સને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે કારણ કે, શુક્રવારે દેશને બ્રિટનની “રેડ-લિસ્ટ” માં સમાવવામાં આવેલ છે, જેમાં મોટા ભાગનાં પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પ્રાણવાયુની અછત / ગુજરાત અન UPમાં ઓક્સિજનની અછત, બનાસકાંઠામાં 5, જયારે ઉન્નાવમાં 9 લોકોના થયા મોત

બ્રિટને જણાવ્યું હતું કે, બ્રિટનનાં હીથ્રો એરપોર્ટને શુક્રવારે યુકેનાં “રેડ-લિસ્ટ” સ્થળો પર જોડાતા પહેલા ભારત તરફથી વધારાની ફ્લાઇટ્સની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, જેમાંથી મોટાભાગનાં કોવીડ-19 કેસને કારણે મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે સોમવારે કહ્યું હતું કે, ભારતમાં પ્રથમ ઓળખાતા કોરોનાવાયરસ 100 થી વધુ કેસ બ્રિટને શોધી કાઠ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે. “અમે ભારતને રેડ-લિસ્ટમાં ઉમેરવાનો મુશ્કેલ પરંતુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિ કે જે યુકે અથવા આઇરિશ રહેવાસી નથી અથવા બ્રિટિશ નાગરિક જો છેલ્લા 10 દિવસમાં ભારતમાં રહ્યા હોય તો તે યુકેમાં પ્રવેશ કરી શકશે નહીં,”હેનકોકે સંસદમાં જણાવ્યું હતું. કોરોનો વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે યુકે દ્વારા ભારતીય વિમાન પર લાદવામાં આવેલા રેડ લિસ્ટને પગલે યુકેમાં રહેતા ભારતીય મૂળનાં સેંકડો વિદ્યાર્થીઓ અને પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. બ્રિટનનાં વડા પ્રધાન બોરિસ જ્હોનસને પણ ભારતમાં કોરોનાનાં કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આવતા અઠવાડિયે તેમની ભારતની મુલાકાત રદ કરી દીધી છે. આ માટે તેમણે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

દુશ્મનો સાવધાન / ભારત દુશ્મન દેશોને જવાબ આપવા વધુ સજ્જ, ફાઇટર પ્લેન રાફેલની પાંચમી ખેપ પહોંચી જામનગર

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ મહામારીની શરૂઆતથી આજ સુધીનો નવો રેકોર્ડ સર્જાયો છે. છેલ્લાં 24 કલાકમાં 3.15 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે, જે વૈશ્વિક સ્તરે ભારતનો સૌથી મોટો દૈનિક આંક છે. અમેરિકાનો 3.07 લાખનો રેકોર્ડ તૂટ્યો છે. અમેરિકામાં સર્વાધિક દૈનિક કેસનો રેકોર્ડ હતો. જ્યારે હવે તે રેકોર્ડ ભારતનાં નામ પર થયો છે. જ્યારે પ્રથમ વખત ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 1.77 લાખ કરતા પણ વધારે થઇ છે. જેથી કુલ કેસો હવે 1.84 કરોડને પાર થયા છે. દેશમાં ફરી એક વખત એક હજારથી વધારે મોત નિપજ્યા છે. સતત બીજા દિવસે મોતનો આંકડો 2 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 2021 થી વધુ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે એક્ટિવ કેસ હવે 22,75 લાખની સપાટીએ પહોંચ્યા છે.