Morbi News/ કમોસમી વરસાદના લીધે મોરબીના રાજપર ગામના ખેડૂતોના પાકને ભારે નુકસાન

મોરબીમાં કમોસમી વરસાદના લીધે રાજપર ગામે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. નવરાત્રિ બાદ પડેલા વરસાદે પાકને ભારે નુકસાન કર્યુ છે. મગફળી, કપાસ, કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે.

Gujarat Rajkot Breaking News

Morbi: મોરબીમાં કમોસમી વરસાદના લીધે રાજપર ગામે (Rajpur Village) ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. નવરાત્રિ બાદ પડેલા વરસાદે પાકને ભારે નુકસાન કર્યુ છે. મગફળી, કપાસ, કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે.

રાજ્યમાં દસ હજાર હેક્ટરમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય કરે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોને થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સરકારની પરિસ્થિતિ પર ચાંપતી નજર છે. સરકાર ખેડૂતોની સાથે છે. અમે ખેડૂતોની સ્થિતિ પર વિચારણા કરીશું. ખેડૂતો માટે ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે તેમને ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનના સંદર્ભમાં વિવિધ ધારાસભ્યોના પત્રો પણ મળ્યા છે. સરકાર બધા જ ખેડૂતોને ન્યાય મળશે તે જોશે. ખેડૂતોને થયેલા નુકસાન વળતર અંગે સરવે કરીને નિર્ણય લેવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં ગમે ત્યારે પાક નુકસાની સહાય પેકેજની જાહેરાત કરી શકે તેમ છે.

તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોની સરકાર છે. ખેડૂતોની બેલી છે અને હંમેશા ખેડૂતના હિતની સતત ચિંતા કરતી આવી છે. તેથી રાજ્ય સરકારના ધ્યાન પર ખેડૂતોને થયેલા નુકસાનની બાબત છે જ. વરસાદ રોકાશે તરત જ સરકાર ટૂંકમાં જ પાક સહાય પેકેજની જાહેરાત કરી શકે છે. તેથી ખેડૂતોએ  નિરાશ થવાની જરૂર નથી. કુદરત ભલે રુઠી, પણ સરકાર રુઠી નથી. સરકાર તેમની સાથે જ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે વરસાદના લીધે નુકસાની સહન કરનારા ખેડૂતને સહાય ચૂકવાશે

આ પણ વાંચો: બનાસકાંઠાઃ વાવાઝોડાના કારણે ભારે નુકસાન, થરાદમાં જાદલા ગામે ભારે પવન લઈ ચંદના વૃક્ષો ધરાશાયી, ખેતરમાં 4 વિઘાથી વધુની જમીનમાં વાવ્યા છે ચંદના વૃક્ષો, 550 વૃક્ષોમાંથી 60- 80

આ પણ વાંચો: ખેડૂતોને રાહતઃ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાનો પ્રારંભ