Surendranagar News:સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે.એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ પર સવાર ત્રણ યુવાનોને કચડી નાખ્યા અને ઘટનાસ્થળેથીભાગી ગયો. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
અકસ્માત અંગે મળેલી માહિતી મુજબ, પાટડી તાલુકાના એરવાડા ગામના ત્રણ યુવાનો વહેલી સવારે પોતાની મોટરસાયકલ પર કામ પર જઈ રહ્યા હતા. તે સમયે નાવિયાણી ગામ નજીક એક અજાણ્યા વાહને તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી, જેમાં સવારો ઘાયલ થયા હતા. રસ્તા પર થયેલી ટક્કરમાં ત્રણેય યુવાનોના મોત થયા હતા.
સ્થાનિક રહેવાસીઓ પાસેથી માહિતી મળતાં, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતની (Accident) જાણ થતાં હાઇવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિક રહેવાસીઓ અને હાઇવે પર એકઠા થયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી, અને 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દસાડા નજીક નાવિયાણી નજીક થયેલા અકસ્માતમાં એક જ મોટરસાઇકલ પર સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. લોકોના જણાવ્યા મુજબ, એક અજાણ્યા ટ્રેલરે મોટરસાઇકલને ટક્કર મારી હતી. મોટરસાઇકલ પર સવાર ત્રણેય લોકો એરવાડા ગામના હોવાનું જાણવા મળ્યું છે.
પીઆઈ વી.જે. માલવિયા અનુસાર હાલમાં, ત્રણેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકોના નામ હોસ્પિટલ પહોંચ્યા પછી જ જાણી શકાશે. હાલમાં, આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે કે કયા વાહને અકસ્માત સર્જ્યો.
આ પણ વાંચો:વડોદરાના NH-48 પર ભયાનક અકસ્માત, બાઇક ટ્રોલી નીચે આવતા બે લોકોના કરુણ મોત
આ પણ વાંચો:સીકર પાસે સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 3નાં મોત, 18 ઘાયલ, મોટાભાગના યાત્રીઓ ગુજરાતના

