આજનો દિવસ પશ્ચિમ બંગાળના રાજકારણમાં રાજકીય વિશિષ્ટતાથી ભરેલો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય કહેવાતા નેતા અમિત શાહ આજથી તેમની બે દિવસીય બંગાળની મુલાકાત પર પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. TMC – BJPની જંગ અને કહી શકાય કે લોહીયાળ બનતી જંગ વચ્ચે આજે તેમની રેલી પણ યોજાનાર છે.
અમિત શાહ બંગાળ પ્રવાસ દરમિયાન મમતા બેનર્જીને આંચકો આપવાના છે. આજે અમિત શાહની હાજરીમાં ટીએમસીના ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે. તેમાં શુભેન્દુ અધિકાર જેવા મોટા નામનો પણ સમાવેશ થાય છે.
આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા, ટીએમસીના ઘણા બગાવતી ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને વિધાનસભા ચૂંટણી પહેલા જ મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો હતો.
સૌથી મહત્વની વાત એ છે કે, એવા વિસ્તારોના ધારાસભ્યો ટીએમસી છોડીને ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે, જ્યાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનું પલડુ નબળું હતું. આવી સ્થિતિમાં આ રાજકીય ઘટનાથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભગવો પક્ષને ફાયદો થઈ શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…