Dharma News: હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જેમકે, માતા લક્ષ્મીને ધન-ઐશ્વર્ય સાથે જોડવામાં આવ્યા છે. કહેવાય છે કે માતા લક્ષ્મીની સાચા દિલથી પૂજા- અર્ચના કરવાથી માં પ્રસન્ન થાય છે. આશીર્વાદ આપી બધા દુ:ખો દૂર કરે છે.
શુક્રવારના દિવસે સવારે વહેલા ઉઠી માતા લક્ષ્મીનું નામ સ્મરણ કરો. સ્નાન કરીને સફેદ કે ગુલાબી રંગના કપડા પહેરવા. ત્યારબાદ શ્રી યંત્ર અને લક્ષ્મીનો ફોટો મૂકી શ્રીસુક્તમના પાઠ કરવા. મનાય છે કે એવું કરવાથી માતાજી પોતાના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે.
માતા લક્ષ્મીનો સંબંધ પીપળાના વૃક્ષ સાથે છે. શનિવારે પીપળાના ઝાડ નીચે એક દીવો જરૂર પ્રગટાવો.
તુલસીમાં પણ તેમનો વાસ હોય છે, એટલે ઘરમાં તુલસીનો છોડ જરૂર વાવવો જોઈએ. સવાર-સાંજ ઘીનો દીવો કરવો જોઈએ.
માતા લક્ષ્મીને શંખ, કોડી, કમળ, પતાશા અર્પણ કરવા. કહેવાય છે કે ઘરમાં અને બહાર ક્યારેય અન્નનું અપમાન ન કરવું. એવું કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. ધન-વૈભવનું આગમન થતું નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!
આ પણ વાંચો: