Navratri 2024/ ગુજરાતીઓ ગરબા નહીં રમે તો કોણ રમશે, આખી રાત રમો ગરબા: હર્ષ સંઘવી

નવરાત્રી ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશખબર લઈને આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા પર સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે ગુજરાતમાં નવરાત્રિની 10મી રાત્રે આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.

Gujarat Top Stories Others

Gandhinagar News: નવરાત્રી ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશખબર લઈને આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા પર સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે ગુજરાતમાં નવરાત્રિની 10મી રાત્રે આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.

આ વર્ષે પણ ખેલાડીઓ નવરાત્રિ દરમિયાન મધરાત 12 વાગ્યા પછી માતાજીના ગરબા તેમના મનની વાત કરી શકશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ સારા સમાચાર આપ્યા છે. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્ક્લેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ‘ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો રમવા ક્યાં જશે?’ નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમવાની તમામને છૂટ હશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસ કોર્ટમાં જવા માંગે છે તો આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જોકે, હર્ષ સંઘવીએ મધરાત 12 પછી લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. તો ઝી 24 અવર્સ પર ગુજરાતના ખેલાડીઓ માટે એક મોટા સમાચાર એ છે કે આ નવરાત્રીમાં ખેલાડીઓ સવાર સુધી ગરબા રમી શકશે.

આમ ગુજરાતીઓના હૈયે આનંદ ઉછળી જાય તેવા સમાચાર ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ જાહેરાતે ગુજરાતીઓને આનંદમાં લાવી દીધા છે. તેની સાથે ગુજરાતી ખેલૈયાઓની સાથે ગુજરાતી આયોજકો પણ ગેલમાં આવી ગયા છે.  ગરબાનો શોખીન કયા ગુજરાતીને આના લીધે આનંદ નહીં થાય. આના પગલે પાર્ટી પ્લોટોના આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાત્રિના બાર વાગ્યાની ડેડલાઇનનું પાલન કરાવતા આયોજકોને પણ નાકે દમ આવી જતો હતો. આ પહેલા આ ડેડલાઇનના લીધે ગરબાની રંગત બરાબરની જામી હોય ત્યાં જ તેણે ગરબા બંધ કરવાની જાહેરાત કરવી પડતી હતી. લોકોને પણ તેના લીધે નિસાસો પડતો હતો.

જો કે ગૃહરાજ્ય મંત્રીએ આપેલી છૂટના લીધે પોલીસનું કામ વધી જશે તેમ મનાય છે. પોલીસે નવરાત્રિ દરમિયાન રાત્રિ બંદોબસ્ત માટે વધારાની કુમક બોલાવવી પડશે તેમ માનવામાં આવે છે. આ પાછી કોઈ એકાદ શહેરની વાત નથી. આખા ગુજરાતની વાત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે

આ પણ વાંચો: અંબાલાલની આગાહીઃ અડધી નવરાત્રિ જશે પાણીમાં

આ પણ વાંચો: પોલીસની માર્ગદર્શિકા : નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા સુધી જ રમાશે ગરબા