Not Set/ વર્ષ નવું હોય, પણ આપણે એના એ જ હોઈએ, તો નવું વર્ષ પણ જૂના જેવું જ રહેવાનું

નવા વર્ષની શુભેચ્છાઓ એટલા માટે કારગત નથી નીવડતી કારણ કે, આપણે જુના મન સાથે નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. નવા વર્ષમાં કશું નવું ત્યારે જ સંભવ છે, જો આપણે આપણા મનને નવું કરીએ.

Trending
nilesh dholakiya વર્ષ નવું હોય, પણ આપણે એના એ જ હોઈએ, તો નવું વર્ષ પણ જૂના જેવું જ રહેવાનું

નવા વર્ષની શુભેચ્છાઓ એટલા માટે કારગત નથી નીવડતી કારણ કે, આપણે જુના મન સાથે નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. નવા વર્ષમાં કશું નવું ત્યારે જ સંભવ છે, જો આપણે આપણા મનને નવું કરીએ. વર્ષ નવું હોય, પણ આપણે એના એ જ હોઈએ, તો નવું વર્ષ પણ જૂના જેવું જ રહેવાનું. આપણે નવા વર્ષની શુભેચ્છાઓ તો ઈચ્છીએ છીએ, પણ તારીખો જે રીતે બદલાય છે, તે રીતે આપણી માનસિકતા નથી બદલાતી.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ભાજપનાં વધુ એક નેતા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવવા કરી અપીલ

આલેખનકાર મુજબ સારી કે ખરાબ, આપણી માનસિકતા સ્મૃતિમાંથી ઘડાય છે, અને સ્મૃતિઓ અનુભવમાંથી આવે છે. આપણે આજે જે કઈં છીએ, તે આપણી માનસિકતામાં કેવી સ્મૃતિઓ અંકિત થઈ છે, તેના પર નિર્ભર કરે છે. માનસિકતા પેટર્ન છે. એ જલ્દી ભૂંસાતી નથી. એ આજીવન આપણી સાથે રહે છે. આપણી માનસિકતા એ જ આપણે છીએ. પાટણની કહેવત પ્રમાણે, પડી પટોળે ભાત, ફાટે પણ ફિટે નહિં. ભાત બદલવા માટે નવી સ્મૃતિઓ સર્જવી પડે, નવી સ્મૃતિઓ નવા અનુભવોમાંથી આવે. આપણે જો એ જ કરીએ, જે કરતા આવ્યા છીએ, તો સ્મૃતિઓ પણ એ જ રહે, માનસિકતા પણ એ જ. એટલા માટે નવા વર્ષની આપણી શુભેચ્છાઓમાં કશું નવું નથી હોતું – કારણ કે આપણે જૂના છીએ તેમજ કદાચ બદલાવા નથી માંગતા.

મારા શુભચિંતકોમાંના એક – પ્રસિદ્ધ લેખક, હાસ્યસર્જક, અમદાવાદી શ્રી વિનય દવેએ એક વિચારવંત પોસ્ટ મને મોક્લેલી તે, થોડા સુધારા વધારા સાથે અત્રે પ્રસ્તુત છે : તાજેતરમાં મહાન વ્યક્તિત્વ શ્રી રતન તાતાએ કપ કેક કાપીને ખૂબ જ સાદગીથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તેમની ઉજવણીના વિડિયોમાં એક યુવક રતનતાતાના ખભા પર હાથ મૂકીને તેમને કેક ખવડાવી રહ્યા છે. જેનાથી પ્રભાવિત થઈને રતન તાતાએ પોતે ફોન કરીને તેને કહ્યું હતું કે, શું તમે મારા આસિસ્ટન્ટ બનશો ? ૨૯ વર્ષના યુવકનું નામ શાંતનુ નાયડુ છે, જે રતન તાતાના અંગત સચિવ છે. શાંતનુએ એવું તો શું કર્યું હતું જેનાથી રતન તાતા પ્રભાવિત થયા હતા ?

શાંતનુએ ૨૦૧૪માં પૂણે યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્જિનિયરિંગ પાસ કર્યા બાદ તાતા એલેક્સીમાં પૂણે ખાતે એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરી. એક દિવસ તે નાઈટ શિફ્ટ બાદ ઘરે જતા હતા ત્યારે પુણેના વિમાનનગર રોડની વચ્ચે દોડતાં એક કૂતરાને કારે કચડી નાંખ્યો. આ દ્રશ્યે શાંતનુને હચમચાવી મૂક્યા. આવું તો વારંવાર બનતું, ઘણીવાર તો કૂતરાંઓના મૃતદેહો ઉપર પણ વાહનો દોડતાં રહેતા અને શાંતનુ આવા દ્રશ્યો જોઈને વિચલિત થઈ ઉઠતા. બહુ બહુ તો તે શ્વાનના મૃતદેહને ખેંચીને રોડની સાઈડમાં મૂકી દેવા સિવાય શાંતનુ બીજું કંઈ કરી શકતા નહોતા. શાંતનુને થયું કે આનો કોઈ ઉપાય કરવો જોઈએ. તાતા ગ્રુપના આ ઓટોમોટીવ ડીઝાઈન એન્જિનિયર આ ઘટનાના ફક્ત દર્શક બની રહેવા માંગતા નહોતા. શાંતનુએ આવા અકસ્માત કરનારા અને અકસ્માત કરતા સ્હેજમાં રહી જનારા વાહનચાલકોનો સંપર્ક કરીને માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું.

શાંતનુ કહે છે – “આવા વાહનચાલકો માટે દ્રશ્યતા અને નિકટતા (વિઝીબિલીટી અને પ્રોક્સિમીટી ) નિર્ણાયક મુદ્દાઓ હતાં. રાતના અંધારામાં તેમને કૂતરો દેખવામાં જો પાંચ સેકન્ડ જેટલો સમય જ રહેતો હોય તો અકસ્માત નિવારવાનો કોઈ અવકાશ રહેતો નહોતો. તેઓ કૂતરા થોડા વધુ અંતરથી જોઈ શકે તો કદાચ અકસ્માત નિવારી શકાય તેમ હતું.” શાંતનુ નાયડુ કહે છે- “હું ઓટોમોટિવ ડિઝાઇન એન્જિનિયર હોવાથી, તમે કાર પર જે રિફ્લેક્ટિવ ટેપ્સનો ઉપયોગ કરો છો તે મને સહેલાઈથી ઉપલબ્ધ હતી. મને કેટલાક મિત્રો મળ્યા. અમે સાથે મળીને પ્રતિબિંબિત ટેપ સાથે ડોગકોલરનો પ્રોટોટાઇપ ડિઝાઈન બનાવી.” જોકે શરુઆતમાં એક એન્ટ્રી લેવલનું કામ હતું. શાંતનુના મિત્રો કોલેજ સ્ટુડન્ટ હતા અને તેમની પાસે ડોગકોલર બનાવવા માટેનું પુષ્કળ બેઝ મટીરીયલ ખરીદવા માટે પૂરતા પૈસા નહોતા. એટલે તેઓએ સસ્તા અથવા મફત મટીરીયલ મેળવવાની વ્યવસ્થા કરવાની હતી. તેઓએ લોકો પાસે ફાજલ પડેલા જૂના ડેનીમ એકઠાં કર્યા અને નમૂનાના ડોગકોલર બનાવ્યા. તેમને લાગ્યું કે આ ચાલશે એટલે ૨૦૧૪માં ડેનીમ ડોનેશન ઝૂંબેશ પણ ચલાવી ! ઘણાં લોકો દાન માટે આગળ આવ્યા અને તેમાંથી શરુઆતમાં ૫૦૦ કોલર બનાવ્યા. તે પછી તેમણે મોટર સાઈકલ રાઈડીંગ ગ્રુપની મદદથી રખડતા કૂતરાઓને કોલર બાંધવાની લોકોમાં અવેરનેસ, ઝૂંબેશ ચલાવી. થોડા દિવસો બાદ આ કોલર કૂતરાઓને દૂરથી ઓળખવામાં બહુ જ મદદરૂપ થાય છે તેવો લોકોમાંથી અદ્ભૂત પ્રતિભાવ મળવા લાગ્યો. શાંતનુ કહે છે-“તેનાથી અમારા કામને માન્યતા મળી.”

આ પણ વાંચો – વીએચપી અને બજરંગ દળ દ્વારા / વારાણસીના ગંગા ઘાટ અને ધાર્મિક સ્થળો પર ‘બિન-હિંદુ પ્રતિબંધિત’ પોસ્ટર લગાવવામાં આવ્યા

May ૨૦૧૫ સુધીમાં શાંતનુ અને તેમના મિત્રોએ મોટોપોઝ Motopaws નામની કૂતરાઓ માટે એનીમલ વેલફેર NGO પ્રસ્થાપિત કરી. થોડા મહિનાઓ બાદ ડોગકોલરની માંગ પણ વધવા લાગી પરંતુ શાંતનુ અને તેના મિત્રો પાસે ફંડીંગની કમી હતી. તેના ઉકેલ માટે શાંતનુએ પિતાની સલાહ મુજબ શ્રી રતનતાતાને એક હ્રદયસ્પર્શી હસ્તલિખિત પત્ર લખ્યો. બે મહિના પછી ખુદ રતનતાતા તરફથી પ્રત્યુતર મળ્યો જેમાં તેમણે શાંતનુના કાર્યની પ્રશંસા કરી અને મળવા માટે બોલાવેલા. તે મુલાકાત વિશે શાંતનુ કહે છે – “હું રતન તાતાને સૌપ્રથમ ૨૦૧૫ના અંતમાં મળ્યો ત્યારે નર્વસ હતો પરંતુ તેમણે મને નોર્મલ થવામાં મદદ કરી. મા. શ્રી રતનતાતા બહુ ઉદાર ને લાગણીશીલ છે. લોકો તથા પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને કારણે અમે એકબીજા સાથે કનેક્ટ થઈ શક્યા. તાતાને યુવાન સાહસિકો સાથે કામ કરવું ગમે છે. આમ આ રીતે બધું શક્ય બન્યું.” રતનતાતાએ શાંતનુને તાતા ટ્રસ્ટમાં DGM તરીકે જોડાવાની ઓફર કરી ઉપરાંત તેમના કાર્ય માટે ફંડીંગની વ્યવસ્થા કરી આપી. એકવર્ષ બાદ ૨૦૧૬માં શાંતનુ કોર્નવેલ યુનિવર્સિટીમાં MBA કરવા અમેરિકા ગયા. આ નિર્ણય તેમણે તાતાને મળ્યા પહેલા લીધો હતો પણ શાંતનુએ રતનતાતાને કહ્યું હતું કે, પાછા ફર્યા બાદ તે તાતા ટ્રસ્ટ સાથે કામ કરવા ઈચ્છે છે. બે વર્ષ બાદ તે પરત ફર્યા. ત્યારે રતન તાતાએ તેમને કોલ કર્યો અને કહ્યું-” મારી ઓફિસમાં તમારા માટે ઘણું કામ છે, મારા આસીસ્ટંટ તરીકે જોડાશો ?

આજે શાંતનુ તાતા સાથે કામ કરવા ઉપરાંત ‘મોટોપોઝ’ ચલાવે છે. અને તાતાના ઉદાર ફંડીંગને કારણે આજે તેમનું NGO ૧૧ શહેરો અને ૩ દેશોમાં વિસ્તરણ પામ્યું છે તથા સ્વયંસેવકો દરરોજ ડોગકોલર બાંધવાની સેવા કરી રહ્યા છે. કેવું અદ્ભૂત ! કરુણાને લીધે શરુ થયેલું એક કાર્ય એક ચળવળમાં રૂપાંતરિત થઈ ગયું છે, જે હજારો કૂતરાઓનું જીવન બચાવી રહ્યું છે ! મેં તો સૂરજ સામે ધર્યું ફાનસ, આટલા પ્રકાશમાં તો મળી જશેને માણસ !? હા, પોતાને સારા બનાવી લઈએ તો દુનિયામાંથી એક ખરાબ માણસ આપોઆપ ઓછો થઈ જ જશે. તૂટીને પણ જે હસી શકે, એને ભલા કોણ હરાવી શકે !