પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ હવે નિકટ આવી રહી છે, ત્યારે રાજકીય હુસાતુસી ઝડપી થઈ રહી છે. વિપક્ષ પર સતત પ્રહાર કરતા મમતા બેનર્જીએ પક્ષના બળવાખોર નેતાઓને ચેતવણી આપી છે. તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ તમામ નેતાઓને પાર્ટી છોડવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મમતા સરકારના ઘણા નેતાઓએ ટીએમસી પ્રત્યે પોતાના વાણી વર્તનમાં પોતાનું બળવાખોર વલણ બતાવ્યું છે. પશ્ચિમ બંગાળના રાજકીય કોરિડોરમાં આવા નેતાઓના ભાજપમાં જોડાવાની અટકળો તીવ્ર બની છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શુક્રવારે ‘પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ’ સામે કડક ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે વિપક્ષના સંપર્કમાં રહેલા તૃણમૂલ નેતાઓ પક્ષ છોડવા માટે સ્વતંત્ર છે. જો કે, ટીએમસી સુપ્રીમોએ કોઈ નામ લીધું ન હતું. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમનો ઈશારો નારાજ નેતા અને શુભેન્દુ અધિકારી તરફ હતો, જેણે તાજેતરમાં જ મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું અને કેટલાક અન્ય ધારાસભ્યો જેમણે પક્ષ વિરુદ્ધ વાતો કરી છે.
આ પણ વાંચો- Farmers Protest / ચાલો જાણીએ, 10માં દિવસમાં પ્રવેશેલ ખેડૂત આંદોલનની 10 મહત્વની વાતો
નામ ન આપવાની શરતે, ટીએમસીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, છેલ્લા દિવસ દરમિયાન થયેલી પાર્ટીની બેઠક દરમિયાન, બેનર્જીએ કહ્યું કે, જો કોઈ નેતા પાર્ટીમાંથી બહાર નીકળી જાય છે, તો તે આવા વધુ નેતાઓ ઉભા કરવા માટે સક્ષમ છે. તેમણે શુભેન્દુ અધિકારીના પિતા અને પુર્બા મેદનીપુર ટીએમસી ચીફ અને કાંથીના સાંસદ શિશિર અધિકારી સાથે પણ વાત કરી હતી. અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા અને પક્ષના જિલ્લા એકમથી વિરોધનો અંત લાવવા કહ્યું હતું. ટીએમસી નેતાએ કહ્યું કે શિશીર દાએ કહ્યું કે તેઓ તેમાં તપાસ કરશે.
આ પણ વાંચો- Farmers Protest / ખેડૂત આંદોલનનો 10મો દિવસ, ભારત બંધનાં એલાનની આપી ચીમકી…
મમતા બેનર્જીએ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ઉત્તર ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું અને ટીએમસીની ખેડૂત શાખાને 8 મી ડિસેમ્બરથી મધ્ય કોલકાતામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ત્રણ દિવસીય ધરણા યોજવા જણાવ્યું હતું. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને સહન કરવામાં આવશે નહીં અને વિરોધી છાવણી સાથે સંપર્ક કરનારાઓ પાર્ટી છોડવા માટે મુક્ત છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…