Rajkot News : રાજકોટમાં લવ જેહાદના ચકચારભર્યા કેસમાં મંતવ્ય ન્ટૂઝના અહેવાલની અસર પડી છે. જેમાં પરિવારને તેમની દિકરી પરત મળી છે. પિડીતાના પરિવાર પર કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. સગીરાની માતાનું કહેવું છે કે તેમની દિકરીને સોમનાથ સ્ટેશન પર રેઢી મુકી દેવામાં આવી હતી. તે સિવાય દિકરી ઈન્સ્ટાગ્રામ પર વાતો કરતી હોવાનું પણ સગીરાની માતાએ જણાવ્યું હતું.
પાંચ દિવસ બાદ પણ દિકરીમળી ન હોવાનો માતાએ આક્ષેપ કર્યો હતો. અંતે આરોપી ઈલીયાસની પોલીસે ધરપકડ કરી હોવાનું સગીરાની માતાએ જણાવ્યું હતું. તે સિવાય અમારી દિકરી પર કંઈ કરી દેવામાં આવ્યું હોવાનો પણ સગીરાની માતાએ આક્ષેપ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે માણાવદરથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું,, અપહરણ કરનાર વિધર્મી બે સંતાનોનો પિતા હોવાનો સગીરાની માતાએ આરોપ લગાવ્યો હતો. સગીરા પર વશીકરણ કર્યું હોવાનો પણ માતાએ આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો: ટોપલેસ મસાજ, ખોટી જગ્યાએ સ્પર્શ અને… છોકરીઓ કેવી રીતે થતી હતી જાતીય શોષણનો શિકાર
આ પણ વાંચો: દેશમાં બાળકો મોટી માત્રમાં જાતીય શોષણનો બની રહ્યા છે શિકાર, આ રાજ્યમાં નોધાયા સૌથી વધુ
આ પણ વાંચો: કોરોના સમયગાળા દરમિયાન બાળ જાતીય શોષણમાં ઝડપથી વધારો થયો
