જીવલેણ કોરોના વાયરસની વેક્સીન ના આવે, ત્યાં સુધી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જ રહ્યું. આમ છતાં કેટલાક લોકો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા હોવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. ત્યારે સુરતમાં નાઈટ કરફ્યુ દરમિયાન સામે આવ્યો છે. જ્યાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની બર્થ-ડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. જે બાદ અલ્પેશ કથીરિયાની કરાઇ અટકાયત કરવામાં આવી છે. આ સાથે નિલેશ કુંભાણી સહિત ફાર્મહાઉસ માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. ASI અને ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો દસ મિનિટનો છે. આ વીડિયો રાતના 12 વાગ્યો હોય તેવું જણાવવા મળ્યું માં છે. આ ચર્ચાનો વિષય છે કે ગુજરાતમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુની ઘોષણા કરવામાં આવી છે, તેમ છતાં પોલીસની બેદરકારી અને વહીવટની નબળાઇ માટે આવા પક્ષનું સંગઠન જવાબદાર છે. જો આ સમય દરમિયાન કોરોનાના કેસમાં વધારો થાય છે તો લોકોની સાથે સાથે સરકાર પણ એટલી જ જવાબદાર??
ઉલ્લેખીનીય છે કે સરકારની માર્ગદર્શિકા ફક્ત સામાન્ય લોકો દ્વારા અનુસરવામાં આવે છે. તે જ સમયે, રાજકારણીઓ અને રાજ્ય પ્રભુત્વ ધરાવતા લોકો રાત્રિના કર્ફ્યુ અને સામાજિક અંતરની કાળજી લેતા નથી.
જુઓ: અલ્પેશ કથીરિયા સહિત 3 અટકાયત, જયારે 4 પોલીસકર્મી સસ્પેન્ડ
આ પણ વાંચો :‘હમ નહીં સુધરેગે’, હવે આ કન્વીનરની બર્થ-ડે પાર્ટીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
આ પણ વાંચો : દાહોદઃ ઝાલોદ-લીંબડી હાઇવે પર અકસ્માત, એકનું મોત
આ પણ વાંચો : મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન, PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…