- મોરબી ઝુલતો પુલ હોનારત મામલો
- તપાસ માટે કાટમાળ FSL ખસેડવામાં આવ્યો
- ટ્રક ભરીને કાટમાળ ગાંધીનગર FSL ખસેડાયો
- FSLની તપાસ બાદ જવાબદારો સામે ગાળિયો કસાશે
- બ્રિજના રિનોવેશન દરમિયાન સળિયા જ બદલાયા ન હતા
- તપાસમાં અનેક ઘટસ્ફોટ થવાની સંભાવના
મોરબીમાં ગત તારીખ 30 ઓકટોબર ને રવિવાર નારોજ ઝૂલતો પુલ તૂટવાથી 135 લોકોના મોત નિપજયા હતા આ મામલે દુર્ઘટનાના કાટમાળને તપાસ અર્થે એફએસઓલમાં મોકલવામાં આવ્યો છે. આ કાટમાળને ટ્રકમાં ભરીને ગાંધીનગ એફએસએલમાં ખસેડવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ કાટમાળની તપાસ બાદ જે રિપોર્ટ આવશે બાદમાં જે લોકો સીધી રીતે જવાબદાર છે તેમની સામે ગાળિયો કસાશે,બ્રિજના રિનોવેશન દરમિયાન સળિયો જ બદલાયા ન હતા,જે તપાસમાં ઘટસ્ફોટ થવાની પુરેપુરી સંભાવના છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન પોલીસે નવ લોકોની ધરપકડ કરાઈ છે.