Amreli/ બાબરાના સુખપુરમાં કર ઉતારવા અંધશ્રદ્ધા 6  પશુબલિ માંડવામાં પોલીસ અને વિજ્ઞાન જથ્થા ત્રાટકયા…

વાળા પરિવાર અને ભુવા ને અંધશ્રદ્ધામાં પશુબલીની મુશ્કેલીના સમયે કોઈ એ મદદ ન કરી.માનતા ના નામે પશુબલી કરવી કાયદેસર નો ગુન્હો બને છે

Top Stories Gujarat
Untitled 45 બાબરાના સુખપુરમાં કર ઉતારવા અંધશ્રદ્ધા 6  પશુબલિ માંડવામાં પોલીસ અને વિજ્ઞાન જથ્થા ત્રાટકયા...

મરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપુર ગામની જ્યા વાળા પરિવારે કર ઉતારવા માટે માતાજીની માનતા મા 6 પશુબલી આપવાની હતી જેમાં 3 ઘેટા 3 બોકડા ની પશુબલી આપવાની હતી..માંડવો નાખીને આયોજન પશુબલીનું કરાયું હતું તે દરમ્યાન ભારત જન વિજ્ઞાન જાથા ને માહિતી મળી હતી જેમાં વોચ ગોઠવી વહેલી સવારે 4 કલાકે મેલડી માતા ના સ્થાનકે જ્ઞાતિ નો ભુવો ધૂણી ને બોકડા ના કાન નો કટકો કાપી ને મંજૂરી માંગે તે પહેલાં વિજ્ઞાન જાથા અને બાબરા પોલીસ ત્રાટકી 6 પશુ બલી અટકાવી દેવાઈ હતી.. બોકળા કાપવાના સાધનો સહિત 3 શખ્સો ને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા.

આ પણ  વાંચો;UP Election / AIMIM એ જાહેર કરી પ્રથમ યાદી, 9 ઉમેદવારોના નામ કર્યા જાહેર

પૂછપરછ થતા ભુવો કાકલૂદી કરવા લાગ્યો. મંડપ માં એક તબક્કે નાસભાગ મચી ગઇ. વાળા પરિવારે એક વાર માફી બક્ષવા અને કાયમી પશુ બલી બંધ કરવા જાહેરાત કરી દીધી.બાબરા પોલીસ સ્ટેશન ની પ્રશનનીય કામગીરી. મુશિબત ના સમયે કોઈ મદદે ન આવતા ભુવો અફસોસ વ્યક્ત કરતો હતો.સવાર માં જ અમુક પરિવારે ચાલતી પકડી.ભુવા ના દાણા ખોટા પડતા માતાજી ને બદલે જાથા ની ટીમ આવી પહોંચી.મંડપ માં ભાગદોડ માં એક ભુવો વંડી ઠેકીને ભાગી જવામાં સફળ થઈ ગયો હતો. ૬ પશુઓના જીવ બચાવી પાંજરાપોળ મોકલી દેવાયા અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ અને બાબરા પોલીસે સજાગતા રાખી હતી.ભુવા એ માફી માંગીને કાયમી ધુણવા ના ધતિંગ બંધ કરવા જાહેરાત કરી દીધી.

આ પણ  વાંચો:UP Election / AIMIM એ જાહેર કરી પ્રથમ યાદી, 9 ઉમેદવારોના નામ કર્યા જાહેર

વાળા પરિવાર અને ભુવા ને અંધશ્રદ્ધામાં પશુબલીની મુશ્કેલીના સમયે કોઈ એ મદદ ન કરી.માનતા ના નામે પશુબલી કરવી કાયદેસર નો ગુન્હો બને છે..હજુએ લોકો અંધશ્રદ્ધાના નામે અબોલ પશુઓની બલીના કિસ્સાઓ બની રહયા છે ત્યારે બાબરા તાલુકામાં પણ એક આવો કિસ્સો સામે આવતા લોકો હજુએ અંધશ્રદ્ધામાં જણાઈ રહ્યા છે ત્યારે વિજ્ઞાન જાથા એ લોકોને અંધશ્રદ્ધા માંથી બહાર આવીને અબોલ પશુઓની બલીઓ અટકાવવી જોઈએ અને પશુબલીના કિસ્સાઓમાં વિજ્ઞાન જાથાને જાણ કરવા જથ્થાએ અપીલ કરાઈ હતી.