@સંજય વાઘેલા
જામનગરઃ દિવાળીનાં તહેવાર પહેલા ગુજરાત સરકારે રાજયભરમાં મામલતદારોની બદલીઓ કરી છે અને મોટી સંખ્યામાં નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર તરીકે નિમણૂંકો આપી છે જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 5 મામલતદાર અને 9 નાયબ મામલતદારના પણ હુકમો બજાવાયા છે.
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના મામલતદાર બી.ટી.સવસાણીની બદલી જામનગર કલેક્ટર કચેરીમાં ચીટનીસ તરીકે થઇ છે. દ્વારકા કલેક્ટર કચેરીના મામલતદાર નેહા વી. સોજિત્રાને આ જ કચેરીમાં ચૂંટણી શાખામાં મૂકવામાં આવ્યા છે. જામનગરના ડીઝાસ્ટર મામલતદાર એમ.એમ.કાવડીયાની બદલી જોડિયા મામલતદાર તરીકે, જામનગર કલેક્ટર કચેરીના પ્રોટોકોલ મામલતદાર એમ.બી.ત્રિવેદીને જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ-જાડા માં મામલતદાર તરીકે તથા જામનગર ગ્રામ્યના મામલતદાર ટી.બી.ત્રિવેદીની બદલી જામનગર જિલ્લાના ધ્રોલ મામલતદાર તરીકે કરવામાં આવી છે.
ક્યાં નાયબ મામલતદારને બઢતી મળી?
જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં કુલ 9 નાયબ મામલતદારને બઢતીઓ આપી મામલતદાર તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જેમાં જામનગરના એમ.આર.મારડીયાને અમરેલીના લીલીયા ખાતે, જામનગરના જી.આર.ડાભીને પાટણ ગ્રામ્યમાં, જામનગરના એમ.ડી.ખેરને મામલતદાર તરીકે ઓખામંડળમાં, સુરેન્દ્રનગરથી એમ.બી.દવેને જામનગર ગ્રામ્ય મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
જામનગરના અશ્વિન પ્રાગજીભાઈ ચાવડાને બઢતી આપીને ભાણવડ મામલતદાર તરીકે, જામનગરના એમ.જે.ચાવડાને સરદાર સરોવર નિગમમાં અધિક કલેક્ટરના ચીટનીસ તરીકે તથા આણંદના વિપુલકુમાર કિરીટકુમાર બારોટને જામનગર કલેક્ટર કચેરીમાં પ્રોટોકોલ મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.રાજકોટના બી.એમ.ખાનપરાને દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર મામલતદાર તરીકે, મોરબીના અમૃતલાલ ભલાભાઈ પરમારને બઢતી આપીને જામનગર કલેક્ટર કચેરીમાં મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Onion Price/ ડુંગળીના ભાવમાં 57%નો વધારો, ગ્રાહકોને રાહત આપવા સરકારે બનાવ્યો ધાંસૂ પ્લાન
આ પણ વાંચોઃ પિટારો ખૂલ્યો/ રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી પહેલાં ‘બોણી’
આ પણ વાંચોઃ Indian Mobile Congress/ PM મોદીએ 100 5G લેબનું કર્યું ઉદ્ઘાટન, 6G-AI થી લઈને સાયબર સુરક્ષા સુધીની દરેક બાબતની ચર્ચા કરી