લૂંટ/ રાજકોટમાં નેપાળી ઘરઘાટીએ વૃદ્વાને બંધક બનાવીને 3 લાખની લૂંટ કરીને ફરાર,પોલીસ ઘટનાસ્થળે

નેપાળના ઘરઘાટીએ લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યા છે. નેપાળી ઘરઘાટીએ વૃદ્વાને બંધક બનાવીને લૂંટ કરીને ફરાર થઇ ગયો છે

Top Stories
1 1 રાજકોટમાં નેપાળી ઘરઘાટીએ વૃદ્વાને બંધક બનાવીને 3 લાખની લૂંટ કરીને ફરાર,પોલીસ ઘટનાસ્થળે
  • રાજકોટના કોહિનૂર એપાર્ટમેન્ટમાં લૂંટની ઘટના
  • નેપાળી ઘરઘાટીએ વૃદ્ધાને બંધક બનાવી ચલાવી લુંટ
  • રોકડ અને મુદ્દામાલ મળી 3 લાખની ચલાવી લુંટ
  • દાગીના અને રોકડની લૂંટ ચલાવી નેપાળી ફરાર
  • ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ઘટના સ્થળે
  • પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

રાજકોટથી લૂંટના મોટા સમાચાર સામે આવ્યા છે. નેપાળના ઘરઘાટીએ લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યા છે. નેપાળી ઘરઘાટીએ વૃદ્વાને બંધક બનાવીને લૂંટ કરીને ફરાર થઇ ગયો છે.રોકડ અને મુદ્દામાલ સહિત 3 લાખની લૂંટ કરીને નેપાળી ઘરઘાટી ફરાર થઇ જવાની ઘટના પોલીસ ચોપ઼ડે નોંધાઇ છે. રોકડ અને મુદ્દામાલ મળી 3 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી છે.  ડીસીપી ઝોન-2 સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.  નેપાળીને શોધવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. બપોરના પોણા ત્રણ વાગ્યે સમગ્ર ઘટના બની છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટના કોહિનૂર એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્વાને બંધક બનાવીને નેપાળી ઘરઘાટી ફરાર થઇ ગયો છે, રોકડ રકમ અને સોનાના દાગીના લઇને ઘરઘાટી રફુચક્કર થઇ ગયો છે. આ લૂંટની ઘટનાની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે પહોંચી છે. આ નેપાળી ઘરઘાટીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્ચા છે.