Not Set/ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9177 કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી 7 દર્દીઓનાં મોત થયા

હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.

Gujarat
Untitled 50 2 છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9177 કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી 7 દર્દીઓનાં મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે એટલે કે  શનિવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.

આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9177 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 2621 માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘચાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 2,215 માં નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1,211 કેસ, રાજકોટમાં 438 કેસ, વલસાડમાં 201 કેસ, ગાંધીનગરમાં 218કેસ, ભરૂચમાં 118 કેસ, નવસારીમાં 175કેસ, મહેસાણામાં 135કેસ, સુરત ગ્રામ્યમાં 282 કેસ, ભાવનગરમાં 250 કેસ  નોંધાયા છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5404 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 59,564 છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી 7 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 9,12,600 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 8,46,375પહોંચી ગઇ છે.

રાજ્યમાં કોરોનાથી આજે 7 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 9177 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 2621 કેસ
સુરત શહેરમાં 2215, વડોદરામાં 1211 કેસ
રાજકોટમાં 438, વલસાડમાં 201 કેસ
ગાંધીનગરમાં 218, ભરૂચમાં 118 કેસ
નવસારીમાં 175, મહેસાણામાં 135 કેસ
સુરત ગ્રામ્યમાં 282, ભાવનગર 250 કેસ
જામનગરમાં 121, ગાંધીનગર ગ્રામ્યમાં 102 કેસ
છેલ્લા 24 કલાકમાં 5404 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 59564
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 9,12,600
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,46,375