કેમ જમવું?/ સુરતની આ રેસ્ટોરન્ટમાં ભાત નહીં પણ ઈયળ : જુઓ ગ્રાહકો સાથે થયેલું વર્તન

મેનેજરે નિરાકણ કરવાને બદલે ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી ગ્રાહકે સુરત મ્યુ.કો. (એસએમસી) અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી અને મામલો વધુ વધ્યો હતો. આ ઉપરાંત ગ્રાહકે રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નિકળવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

Top Stories Gujarat Surat
ઈયળ

સુરતના વી.આર.મોલ સામેની રેસ્ટોરન્ટ મુસ્તાક અમદાવાદી તવાફ્રાયના ભોજનમાંથી ઈયળ નિકળી છે. શહેરની અત્યંત લોકપ્રિય રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે વેજ ફ્રાઈ રાઈસની આઈટમ મંગાવી હતી. જેમાં રાઈસનાં બદલે ઈયળ નિકળી હતી. જેથી ગ્રાહકે રેસ્ટોરન્ટના મેનેજરને આ અંગે ફરિયાદ કરી હતી. જો કે, મેનેજરે નિરાકણ કરવાને બદલે ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી ગ્રાહકે સુરત મ્યુ.કો. (એસએમસી)  અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી અને મામલો વધુ વધ્યો હતો. આ ઉપરાંત ગ્રાહકે રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ  નિકળવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

ઈયળ

વિવિધ શહેરોમાં અવારનવાર ભોજનમાંથી જીવાતો નીકળતી રહે છે. સુરત તો ખાણી પીણી માટે દેશ અને દુનિયામાં જાણીતું છે ત્યારે ત્યાં ભોજનમાં નીકળેલી ઈયળ અને ગ્રાહકો સાથે થયેલું ગેરવર્તન સુરતની શાનને દાગ લગાવી શકે છે. બીજી તરફ કોર્પોરેશનના ફૂડ ડીપાર્ટમેન્ટ ઉપર સવાલ ઉઠી રહ્યા છે.

ઘણી વખત એવું પણ બનતું હોય છે કે લોકો લોકપ્રિય અને નામાંકિત રેસ્ટોરેન્ટમાં જમવા તો જાય છે પરંતુ મોટી મોટી રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નીકળવાનું બંધ થતું નથી. જો કે સુરતની આ હોટેલનો વિડીયો વાયરલ કરનાર ગ્રાહકની જાગૃતિના કારણે આ ઘટના સામે આવી હતી. તે ગ્રાહકે તો વિડીયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ સૂરત તંત્રનો ખાદ્ય વિભાગ નિદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે. એમાંય જો કોઈ રેસ્ટોરન્ટના સેમ્પલ લેવામાં આવે તો તેના રિપોર્ટમાં પણ ઘણો સમય કાઢી નાખવામાં આવે છે ત્યાં સુધી લોકોના આરોગ્ય  સાથે ચેડાં થતાં રહે છે પણ કોઈ ઠોસ કાર્યવાહીનો દાખલો બેસાડવામાં તંત્રને રસ નથી કે કામ કરવામાં કોઈ ખામી રહે છે એ સવાલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો : આઝમ ખાનને SC તરફથી મોટી રાહત, જમીન હડપ અને છેતરપિંડી કેસમાં વચગાળાના જામીન આપ્યા