ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી ટી-20 મેચ તિરુવનંતપુરમમાં રમાશે. પ્રથમ ટી-20 મેચમાં ભારતની ટીમ સરળતાથી જીતવામાં સફળ રહી હતા. ત્યારે ભારતીય ટીમ હજી મેચ જીતવા અને શ્રેણીમાં અજેય લીડ બનાવવા માંગશે.
ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી 6 ટી-20 મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેચ જીતીને સતત 7 મી જીતનો પ્રયાસ પણ કરશે.
હવામાન કેવું રહેશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે તિરુવનંતપુરમમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજે વરસાદ પડશે. એટલે કે મેચ દરમિયાન વરસાદની શક્યતાઓ રહેશે. આવી સ્થિતિમાં, પિચ ક્યુરેટર બીજુએ કહ્યું કે સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ એટલી અસરકારક છે કે વરસાદ પછી મેચ ફરી શરૂ કરવા ગ્રાઉન્ડ સ્ટાફને ફક્ત 30 મિનિટની જરૂર પડશે.
બીજુએ કહ્યું, “મેદાનની અંદર 3500 પાઈપો છે અને પાણી નીચે જવાની સાથે જ તે બહાર પણ નીકળી જશે. જો આવતી કાલે મેચ દરમિયાન વરસાદ પડે તો મેચ ફરી શરૂ થવા માટે અમને ફક્ત 30 મિનિટની જરૂર પડશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.