નવી દિલ્લી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. રશિયાના પ્રેસીડન્ટ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વીપક્ષીય બેઠકમા ભાગ લેશે. આ મુલાકાત પછી ભારત-રશિયા વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. રશિયન સંસદના એક ટોપ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ભારત મુલાકાતમાં પુતિન 5 બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ પર સાઈન કરી શકે છે.
જો કે બીજી તરફ ભારત રશિયાની આ ડિફન્સ ડીલથી અમેરિકા નારાજ છે કેમ કે તે ઇચ્છે છે કે ભારત રશિયાનું એસ-400ના બદલે તેમની પાસેથી થાડ (ટર્મિનલ હાઇ ઓલ્ટીટ્યુડ એરિયા ડિફેન્સ) સિસ્ટમ ખરીદે.અમેરિકાએ ભારત પર થાડ ખરીદવા માટે દબાણ કર્યું હતું પરંતું ભારતે એસ-400 ખરીદવા પર જ મન બનાવી લીધું છે.
એસ-400 અને થાડ એન્ટી બેલેસ્ટીક મિસાઇલ સિસ્ટમ છે.
એસ-400 અને થાડ બંનેમાં એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે પરંતું બંનેની મારક ક્ષમતામાં ઘણું અંતર છે.એસ-400 300 કિલોમીટરની રેન્જ સુધી પ્રહાર કરી શકે છે તો થાડની રેન્જ 200 કિલોમીટરની છે.એસ-400 મિસાઇલ એકસાથે 100 જેટલા હવાઇ ખતરાઓને ઓળખી શકે છે.થાડ સિંગલ લેયર ડિફેન્સ પ્રણાલી પર કામ કરે છે.એસ-400 એક સાથે ત્રણ મિસાઇલ દાગી શકે છે અને તેનું નિશાન અચુક મનાય છે.
એટલું જ નહીં એસ-400 એક સાથે 36 જગ્યાઓ પર નિશાન તાકી શકે છે,જ્યારે થાડમાં એક જ પ્રકારની મિસાઇલ સિસ્ટમ છે જે એક કોઇ એક ટાર્ગેટને જ નિશાન પર લઇ શકે છે.
થાડ 3,000 કિલોમીટર પ્રતિ સેકંડથી ગતિથી આવનાર ટાર્ગેટને ભેદી શકે છે તો એસ-400 4,800 મીટર પ્રતિ સેકંડથી આવનાર ટાર્ગેટને તબાહ કરી શકે છે.