Not Set/ મુંબઇ – અંધેરીમાં ઇમારતના ચોથા માળે આગ લાગી, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

મુંબઇના અંધેરી વિસ્તારમાં એક સિલિન્ડર બ્લાસ્ટની દુર્ઘટના બની છે. મુંબઇના અંધેરીના યારી રોડ વિસ્તારમાં સ્થિત માજિલ મસ્જિદ ચોકમાં આવેલી સરિતા બિલ્ડીંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.  જો કે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. આગને કારણે અહીંયા રહેલા સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થવાને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. આ […]

India

મુંબઇના અંધેરી વિસ્તારમાં એક સિલિન્ડર બ્લાસ્ટની દુર્ઘટના બની છે. મુંબઇના અંધેરીના યારી રોડ વિસ્તારમાં સ્થિત માજિલ મસ્જિદ ચોકમાં આવેલી સરિતા બિલ્ડીંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.  જો કે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. આગને કારણે અહીંયા રહેલા સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થવાને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા. ઘાયલને હાલમાં હોસ્પિટલ સારવાર માટે  ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર બિલ્ડીંગના ચોથા માળ પર આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલિસે પણ ઘટનાની તપાસ હાથ ધરી છે.