દિલ્લી
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે ૯૪મી જન્મજયંતિ છે. સરકાર મંગળવારે તેમનું સ્મારક ‘ સદૈવ અટલ ‘ ૯૪મી જન્મજયંતિ પર રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.
સદૈવ અટલ સ્મૃતિ સ્થળ પર પ્રાર્થના સભામાં ભાગ લેવા માટે પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પૂર્વ પીએમ મનમોહન સિંહ પહોચી ચુક્યા છે.
અધિકારીએ કહ્યું કે અટલજીના વિચાર અને દર્શન દેશની જનતા માટે પ્રેરણાના સ્ત્રોત છે. આ મહાન આત્માને લોકો સમ્માન આપી શકે તે માટે સંસ્થાએ તેમની સમાધિ બનાવવાનું વિચાર્યું હતું.